સુગરથી બચવા તમે પણ કરો છો સુગર ફ્રી પ્રોડક્ટનો ઉપયોગ? તો જાણી લો શરીર માટે મીઠા ઝેર બરાબર છે આ સ્વીટનર

એક ચમચી સફેદ ખાંડમાં લગભગ 18 કેલરી હોય છે અને શુગર ફ્રીમાં 0 કેલરી હોય છે. શુગર ફ્રીમાં કેલરી ન હોઈ શકે, પરંતુ તે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ શુગર ફ્રી અથવા શુગર ફ્રી ફૂડનું સેવન કરો છો તો આ લેખ ચોક્કસ વાંચો.

સુગરથી બચવા તમે પણ કરો છો સુગર ફ્રી પ્રોડક્ટનો ઉપયોગ? તો જાણી લો શરીર માટે મીઠા ઝેર બરાબર છે આ સ્વીટનર
sugar free products how harmful are they for your health
| Edited By: | Updated on: May 18, 2023 | 2:10 PM

પહેલાં મીઠાઈ તરીકે ગોળ અને મધનો વધુ ઉપયોગ થતો હતો, જ્યારે આજે સફેદ ખાંડ, કૃત્રિમ ગળપણ અને સુગર ફ્રીનો ઉપયોગ મીઠાશ માટે થાય છે. જે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે તેઓ સફેદ ખાંડ કરતાં શુગર ફ્રી અને તેમાંથી બનેલી વસ્તુઓ તરફ વધુ ઝુકાવ ધરાવે છે.

તેઓ માને છે કે એક ચમચી સફેદ ખાંડમાં લગભગ 18 કેલરી હોય છે અને શુગર ફ્રીમાં 0 કેલરી હોય છે. શુગર ફ્રીમાં કેલરી ન હોઈ શકે, પરંતુ તે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જો તમે પણ શુગર ફ્રી અથવા શુગર ફ્રી ફૂડનું સેવન કરો છો તો આ લેખ ચોક્કસ વાંચો.

 ખાંડને બદલે સુગર ફ્રીનો લોકોને લાગ્યો મોહ!

બજારમાં ઉપલબ્ધ સુગર ફ્રી ઉત્પાદનોમાં કૃત્રિમ સ્વીટનર ઉમેરવામાં આવે છે, જે રાસાયણિક રીતે બનાવેલા અણુઓના સ્વરૂપમાં હોય છે. જે લોકો વજન ઘટાડવા માટે સુગર ફ્રી ડ્રિંકનું સેવન કરે છે, તે સુગર ફ્રી ડ્રિંક્સમાં શુગર બીજા સ્વરૂપમાં રહે છે અને સ્લિમ થવાને બદલે તેમનું વજન વધી શકે છે અને તેમને ઘણા ગેરફાયદા પણ થઈ શકે છે.

હાલમાં જ WHO દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં સામે આવ્યું છે કે કૃત્રિમ સ્વીટનર માનવ શરીર માટે મીઠા ઝેરની જેમ કામ કરે છે. જે લોકો શુગર ફ્રીનો ઉપયોગ કરે છે તેમને ચેતી જવાની જરુર છે. જજો છે તેમને ટાઈપ 2 ડાયાબિટીસ, હ્રદય રોગ અને મૃત્યુદરનું જોખમ વધી જાય છે.

આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને સુગર સબસ્ટિટ્યુટ કેટલાક એવા રસાયણો છે, જેનો ઉપયોગ મીઠાઈનો સ્વાદ વધારવા માટે અને ખોરાકને વધુ સ્વાદીષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. સુગર ફ્રી એક ટેબલ સ્પૂનથી વધુ ખાંડ શરીર માટે ખતરનાક બની શકે છે.

શુગર ફ્રી હાનિકારક કેમ છે?

ખરેખર, કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ ખાંડ મુક્ત ઉત્પાદનોમાં થાય છે. તે 3 ક્ષાર ભેળવીને તૈયાર કરવામાં આવે છે. આ ત્રણેય ક્ષાર સ્થૂળતા, હૃદય, ડાયાબિટીસ અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ વધારે છે.

સુગર ફ્રીથી થઈ શકે છે આ ગંભિર બિમારી :

મેટાબોલિઝમ ઘટાડે છે

જો તમે દરરોજ કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરો છો, તો તે તમારા ચયાપચયને ઘટાડે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તે ગ્લુકોગન અને ઈન્સ્યુલિનનું સંતુલન પણ ઘટાડે છે. તે લોહીમાં શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે. જેના કારણે વ્યક્તિને વધુ ભૂખ લાગી શકે છે. અને તમારું વજન વધી શકે છે.

આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને સુગર સબસ્ટિટ્યુટ કેટલાક એવા રસાયણો છે, જેનો ઉપયોગ મીઠાઈનો સ્વાદ વધારવા માટે ખાવા-પીવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. સુગર ફ્રી એક ટેબલ સ્પૂનથી વધુ ખાંડ શરીર માટે ખતરનાક બની શકે છે.

તે સંપૂર્ણપણે કૃત્રિમ છે

જે લોકો તેમની રોજિંદી જીવનશૈલીમાં કૃત્રિમ ગળપણનો ઉપયોગ કરે છે. તે તેમના માટે મીઠા ઝેર જેવું કામ કરે છે. કૃત્રિમ સ્વીટનર્સ સંપૂર્ણપણે કૃત્રિમ છે. તેમાં કોઈ કુદરતી તત્વનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તે સંપૂર્ણપણે કૃત્રિમ સામગ્રીથી બનેલું છે. જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે.

વજન વધારે છે

જો તમે લાંબા સમયથી આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેનાથી તમારું વજન પણ વધી શકે છે. કારણ કે તે તમારા આંતરડાના બેક્ટેરિયાને એક હદ સુધી અસર કરે છે. તે મેટાબોલિઝમને પણ અસર કરે છે.

ઇન્સ્યુલિન હોર્મોન્સનના સંતુલનમાં ખલેલ પહોંચાડે

જ્યારે વ્યક્તિ મીઠાઈ ખાય છે ત્યારે શરીરમાં ઈન્સ્યુલિન નીકળે છે. તેની સાથે બ્લડ ગ્લુકોઝના સ્તર પર પણ અસર થાય છે. જેના કારણે ભૂખ વધે છે. અને જો તમે તેની જરૂરિયાત કરતાં વધુ ખાઓ છો, તો વધુ ઇન્સ્યુલિન મુક્ત થાય છે, જે શરીરને અસર કરે છે.

સગર્ભા સ્ત્રીઓ માટે હાનીકારક

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેની માતા અને બાળક બંને પર ખરાબ અસર પડે છે. ગર્ભાવસ્થામાં સૌથી મહત્વની બાબત એ છે કે માતાનું સ્વાસ્થ્ય.

 Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:02 pm, Wed, 17 May 23