Constipation Remedies : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ખોરાકથી મળશે તરત રાહત

|

Mar 02, 2022 | 10:08 AM

Constipation Remedies :કબજિયાત થવાનું કારણ આપણી નબળી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો છે. કબજિયાતથી રાહત મેળવવા માટે તમારા આહારમાં પોષણથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

Constipation Remedies : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ખોરાકથી મળશે તરત રાહત
Constipation-Remedies(symbolic image )

Follow us on

વર્ક ફ્રોમ હોમને કારણે મોટાભાગના લોકોને વારંવાર કબજિયાત (Constipation Remedies)નો સામનો કરવો પડે છે. જોકે એક સામાન્ય આરોગ્ય સમસ્યા છે. આ કબજિયાત ફાઇબરની પૂરતી માત્રાના અભાવને કારણે હોઈ શકે છે. આવી સ્થિતિમાં એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં ફાઈબર હોય. કબજિયાતને કારણે તમે આખો દિવસ સુસ્ત અને બીમાર અનુભવો છો. આ દરમિયાન ભૂખ ન લાગવી, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ઉબકા આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પેટ સાફ ન હોવાને કારણે ઘણી વખત ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે પિમ્પલ્સ પણ થાય છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર ખોરાક (Foods) નો સમાવેશ કરવો જોઈએ. આ ખોરાક તમને કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.

કેળા કબજિયાતને દૂર રાખે છે

કેળામાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે અપચો અને કબજિયાતમાં રાહત આપે છે. કેળા તમારા પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રાતે પલાળેલી કાળી કિસમિસ

પલાળેલી કાળી દ્રાક્ષનું સેવન પણ કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં વિટામિન બી અને સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે સવારે પલાળેલી કાળી કિસમિસનું સેવન કરી શકો છો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

પાલક અને અન્ય શાકભાજી

બ્રોકોલી, આમળાં અને પાલક જેવી લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેઓ ફોલેટ, વિટામિન સી અને કે જેવા પોષક તત્ત્વોથી પણ સમૃદ્ધ છે. તેઓ આંતરડાને સ્વસ્થ રાખે છે. કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે આ શાકભાજીનું સેવન પણ કરી શકો છો.

મૂળા

મૂળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ આંતરડા માટે સારું છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે મૂળાનું સેવન સલાડ, સંભાર અને દાળના રૂપમાં કરી શકો છો. તે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

દહીં

દહીંમાં કેલ્શિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. પ્રોબાયોટીક્સ જેવા સારા બેક્ટેરિયા દહીંમાં જોવા મળે છે.

પાણી

પૂરતા પ્રમાણમાં પાણી પીવો. વધુ ને વધુ પાણીનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. પાણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.

આ પણ વાંચો :IND vs SL: આ ગુજરાતી મોહાલીમાં ટીમ ઇન્ડિયાને આપી રહ્યા છે ‘સ્પેશિયલ’ ટીપ્સ, બે પૂર્વ દિગ્ગજ ટેસ્ટની તૈયારીઓમાં કરી રહ્યા છે મદદ

આ પણ વાંચો :GI ટેગ વાળી હાફુસ કેરીના વેચાણ અંગે મહારાષ્ટ્રમાં લેવાયો મોટો નિર્ણય, ખેડુતોને મળશે રાહત

Next Article