હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ સવારે ખાલી પેટે પીઓ નારિયેળ પાણી

|

Jun 04, 2022 | 7:30 AM

નારિયેળ પાણી (Coconut Water )એ ઓછી કેલરીવાળું પીણું છે. લગભગ એક કપ નાળિયેર પાણીમાં 60 કેલરી હોય છે. આને પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ સવારે ખાલી પેટે પીઓ નારિયેળ પાણી
Coconut Water Benefits (Symbolic Image )

Follow us on

થાઈરોઈડની (Thyroid ) સમસ્યા આજકાલ સામાન્ય સમસ્યા છે. વાસ્તવમાં આપણી ગરદનની(Neck) નીચે પતંગિયાના આકારની થાઈરોઈડ ગ્રંથિ હોય છે, જે થાઈરોઈડ હોર્મોન(Hormone) છોડે છે. આ ગ્રંથિ શરીરના તાપમાન અને ચયાપચયને નિયંત્રિત કરે છે. જ્યારે આ હોર્મોનમાં અસંતુલન થાય છે, ત્યારે થાઈરોઈડની સમસ્યા ઉભી થાય છે. થાઈરોઈડ એ જીવનશૈલીનો રોગ છે, તેને અસાધ્ય રોગ માનવામાં આવે છે. જીવનશૈલીમાં ફેરફાર કરીને તેને નિયંત્રિત કરી શકાય છે. જો તમને પણ થાઈરોઈડની સમસ્યા છે તો રોજ સવારે ખાલી પેટ નારિયેળ પાણી પીવો. નારિયેળ પાણીમાં એવા તમામ પોષક તત્વો હોય છે, જે હોર્મોન્સને નિયંત્રિત કરે છે. મેટાબોલિઝમને પણ વેગ આપે છે. અહીં જાણો નારિયેળ પાણીના પોષક તત્વો અને અન્ય ફાયદાઓ વિશે.

નાળિયેર પાણીના પોષક તત્વો

ઈલેક્ટ્રોલાઈટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ઉપરાંત નારિયેળ પાણીમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી માનવામાં આવે છે. નાળિયેર પાણીમાં કાર્બોહાઈડ્રેટ 15 ગ્રામ, કેલ્શિયમ ચાર ટકા, મેગ્નેશિયમ ચાર ટકા, ખાંડ આઠ ગ્રામ, ફોસ્ફરસ બે ટકા અને પોટેશિયમ 15 ટકા છે. આ સિવાય એમિનો એસિડ, એન્ઝાઈમ, વિટામિન બી-કોમ્પ્લેક્સ, વિટામિન સી અને ઈ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. દરરોજ એક નારિયેળ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ સ્વસ્થ રહે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

નારિયેળ પાણી એ ઓછી કેલરીવાળું પીણું છે. લગભગ એક કપ નાળિયેર પાણીમાં 60 કેલરી હોય છે. આને પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આવી સ્થિતિમાં જેઓ વજન ઓછું કરવા માંગે છે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડીહાઈડ્રેશનની સમસ્યા દૂર કરે છે

નાળિયેર પાણી  94 ટકા પાણી છે. ઉનાળામાં તેને પીવાથી શરીરમાં ડીહાઈડ્રેશન થતું નથી. જો ઉનાળામાં હીટ સ્ટ્રોકની સમસ્યા હોય તો નારિયેળ પાણી પીવું જોઈએ. આને પીવાથી શરીરને તરત જ ઈલેક્ટ્રોલાઈટ્સ મળે છે, જેનાથી ડીહાઈડ્રેશનની સમસ્યામાં સુધારો થાય છે અને ઉલ્ટી, ઝાડા, પેટમાં બળતરા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે સારું

નારિયેળ પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. આ સિવાય ફેટ ફ્રી હોવાને કારણે તે હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારું છે.

ગર્ભાવસ્થામાં માતા અને બાળક માટે ફાયદાકારક

મોટાભાગની મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. દરરોજ નારીયેળ પાણી પીવાથી શરીરને ઉર્જા અને જરૂરી પોષક તત્વો મળે છે, જેના કારણે બાળકનો વિકાસ સારી રીતે થાય છે. જો કે નાળિયેર પાણી ગમે ત્યારે પી શકાય છે, પરંતુ તેને પીવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે. તે સવારે ખાલી પેટ પર પીવું જોઈએ.

વૃદ્ધત્વની અસરોને અટકાવે છે

નારિયેળ પાણીમાં હાજર સાયટોકિનિન પણ વૃદ્ધત્વની અસરને રોકવાનું કામ કરે છે. આ સિવાય વિટામિન E ત્વચાને સુધારે છે અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.

Next Article