
Fatty liver ayurvedic treatment : ફેટી લિવરની બીમારી હવે મોટી સમસ્યા બની રહી છે. ખાવાની ખોટી આદતોના કારણે લોકો આ બીમારીનો શિકાર બની રહ્યા છે. હવે જે લોકો આલ્કોહોલ નથી પીતા તેઓ પણ લિવરમાં વધારાની ચરબી જમા થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફેટી લીવર (Fatty liver)ને કારણે લીવર પર સોજો આવે છે. આ રોગ ધીમે ધીમે લિવર સિરોસિસ અને લિવર ફેલ્યોરનું કારણ બની રહ્યો છે. ઘણા દર્દીઓ દવાઓની મદદથી તેની સારવાર કરી રહ્યા છે, પરંતુ તેમના આહાર પર પણ ધ્યાન આપતા નથી. તેઓ ચરબીયુક્ત ખોરાક લે છે અને ખરાબ લાઈફસ્ટાઈલ જીવે છે.
જેના કારણે ફેટી લીવરની સમસ્યા દૂર થતી નથી. ઘણા કિસ્સામાં દર્દીઓને દવાઓ લીધા પછી પણ ખાસ રાહત મળતી નથી. આવા લોકો ફેટી લિવરની સારવાર માટે આયુર્વેદની મદદ લઈ શકે છે. આયુર્વેદમાં ઘણી દવાઓ છે જે તમારા ઘરના રસોડામાં ઉપલબ્ધ છે. આનાથી ફેટી લીવરની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે. ચાલો આ વિશે ડૉક્ટર પાસેથી જાણીએ.
આ પણ વાંચો : World Heart day 2023: વધુ ટેન્શનમાં રહો છો તો પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે કરો બચાવ
એમસીડીના આયુર્વેદ વિભાગના ડૉ. આર.પી. પરાશર કહે છે કે ફેટી લિવરની બીમારી એકદમ સામાન્ય બની રહી છે. જો શરૂઆતના તબક્કામાં જ તેની ઓળખ થઈ જાય તો સારવાર સરળતાથી થઈ જાય છે. આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ છે જે ફેટી લિવરની સમસ્યાને નિયંત્રિત કરી શકે છે. તેના માટે તમે આ ત્રણ વસ્તુઓનું સેવન કરી શકો છો.
ફેટી લિવરની સમસ્યામાં આમળાનો રસ ખૂબ જ અસરકારક છે. કુંવારપાઠાના રસને આમળાના રસમાં ભેળવીને સવારે ખાલી પેટે પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.
ફેટી લિવરની સમસ્યાને દૂર કરવામાં પપૈયું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે પાચન સુધારે છે. તમે દરરોજ સવારે ખાલી પેટ પપૈયું ખાઈ શકો છો.
સફરજન માત્ર ડાયાબિટીસ જ નહીં પરંતુ ફેટી લિવરની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તમે લંચ પછી એપલ સાઇડર વિનેગર લઈ શકો છો.
ડો.પારાશર કહે છે કે આયુર્વેદનું પાલન કરતી વખતે તમારે સ્વાસ્થનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ સારવાર દરમિયાન બહારનો ખોરાક ન ખાવાનો પ્રયાસ કરો. ફાસ્ટ ફૂડથી દૂર રહો. દારૂનું સેવન ન કરો. દરરોજ ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી પીવો. તમે લીંબુનો રસ અને નારિયેળ પાણી પણ પી શકો છો. દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ કસરત કરવાની ટેવ પાડો. જો તમે આ બધું કરો છો, તો ફેટી લિવર રોગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે.
Published On - 10:00 am, Thu, 28 September 23