Sugarcane Juice: શેરડીનો રસ આપણા હેલ્થ માટે ખુબ સારો છો. ઉનાળાની ઋતુમાં લોકો શેરડીનો રસ ખુબ પીવે છે, હેલ્થ એક્સપર્ટ ખાલી પેટે શેરડીના રસ પીવાના ફાયદા વિશે જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, શેરડીનો રસ સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિનો એક ભાગ રહ્યો છે. જરુર પોષક તત્વોથી ભરપુર આ હેલ્ધી ડ્રિંક અનેક રીતે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ ખાલી પેટે શેરડીના રસ પીવાના કેટલા ફાયદા છે.
શેરડીનો રસ એક નેચરલ એનર્જી ડ્રિંક છે, ખાલી પેટે શેરડીનો રસ પાવાથી શરીરમાં તાકાત રહે છે. તેમજ તમારો દિવસ પણ હેલ્ધી પસાર થાય છે.
જેમ જેમ ઉનાળો આવે છે તેમ તેમ શરીરને હાઇડ્રેટેડ રહેવું જરૂરી બની જાય છે. શરીરની હાઇડ્રેશન જાળવવામાં શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીની માત્રાને પૂર્ણ કરે છે. શેરડીનો રસ શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે. આ સિવાય શેરડીનો રસ આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું પણ કામ કરે છે.
શેરડીનો રસ જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન્સ (જેમ કે એ, બી-કોમ્પ્લેક્સ અને સી), મિનરલ્સ (જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ) અને એન્ટીઑકિસડન્ટો છે. આ પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં, હાડકાં અને દાંતને મજબૂત કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે.
શેરડીના રસમાં કુદરતી લેક્સેટિવ ગુણ હોય છે, જે સ્વસ્થ પાચનતંત્રને જાળવવામાં મદદ કરી શકે છે. તે કબજિયાતને રોકવામાં મદદ કરે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
શેરડીના રસમાં હાજર વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને સ્વસ્થ બનાવે છે. તેને નિયમિતપણે પીવાથી ખીલ અને ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે. તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે,
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)