Health and Women: મેનોપોઝ દરમિયાન સાંધામાં ખૂબ જ દુખાવો રહે છે, આ ઉપાયો તમને મદદરૂપ થઈ શકશે

|

Mar 02, 2022 | 1:58 PM

મેનોપોઝ એ માસિક સ્રાવ સમાપ્ત થવાની કુદરતી પ્રક્રિયા છે, જેમાથી દરેક સ્ત્રીને એક યા બીજા દિવસે પસાર થવું પડે છે. પરંતુ મેનોપોઝ પછી શરીરને ખાસ કાળજીની જરૂર હોય છે. આ સમય દરમિયાન ઘણી સ્ત્રીઓને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. અહીં જાણો તેનાથી કેવી રીતે બચવું.

Health and Women: મેનોપોઝ દરમિયાન સાંધામાં ખૂબ જ દુખાવો રહે છે, આ ઉપાયો તમને મદદરૂપ થઈ શકશે
Joint pain

Follow us on

મેનોપોઝ (Menopause) એ એવી પ્રક્રિયા છે જેમાંથી દરેક સ્ત્રીને પસાર થવુ પડે છે. મેનોપોઝ સામાન્ય રીતે 45 થી 55 વર્ષની વય વચ્ચે થાય છે. મેનોપોઝ પછી, કુદરતી રીતે સ્ત્રીઓમાં માસિક ચક્ર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયામાંથી પસાર થતી વખતે મહિલાઓને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ હોર્મોનલ ફેરફારોને (Hormonal Changes) કારણે ગેસ, પેટનું ફૂલવું, ઉલ્ટી, મૂડ સ્વિંગ, ડિપ્રેશન અને નર્વસનેસ થાય છે. ઘણી સ્ત્રીઓને સાંધાના દુખાવાની (Joint Pain) સમસ્યા થવા લાગે છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો, આ દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે છે. અહીં જાણો આ સમયગાળામાં સાંધાના દુખાવાથી બચવા શું કરવું જોઈએ.

આહારમાં અળસીના બીજનો સમાવેશ કરો

સાંધાના દુખાવાની સમસ્યાથી બચવા માટે તમારા આહારમાં ફ્લેક્સસીડનો સમાવેશ કરો. તેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સાંધાના દુખાવામાં રાહત આપવા ઉપરાંત અળસીના બીજને મેનોપોઝની અન્ય સમસ્યાઓ જેમ કે હોર્મોન અસંતુલન, સાંધાનો સોજો વગેરેને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

ખાલી પેટ લસણ ખાઓ

લસણમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધાના દુખાવાને નિયંત્રિત કરે છે, તેમજ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ ખાલી પેટે લસણની એક કળીને પાણી સાથે ગળી લો. આનાથી સાંધાના દુખાવાની સમસ્યા સિવાય તમને ગેસ, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓમાં પણ રાહત મળશે. આ સિવાય ઘરે લસણનું તેલ બનાવી તેની માલિશ કરવાથી પણ આરામ મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હળદર ખાઓ

સાંધાના દુખાવા માટે હળદર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં એન્ટિસેપ્ટિક, બળતરા વિરોધી ગુણધર્મો અને એન્ટીઑકિસડન્ટ હોય છે. સાંધાના દુખાવામાં રાહત આપવામાં આ વસ્તુઓ મદદરૂપ માનવામાં આવે છે. જો કાચી હળદરનું સેવન કરવામાં આવે તો તે વધુ અસરકારક છે. હળદરના સેવન માટે તમે તેને દૂધમાં ઉકાળીને પી શકો છો અથવા એક કપ પાણીમાં અડધી ચમચી પીસી હળદર અને થોડું આદુ નાખીને ઉકાળો અને 10 મિનિટ પછી ગાળી લો. આ પીણું પીવાથી પણ ઘણી રાહત મળે છે.

સૂર્યપ્રકાશ જરૂરી છે

તમે તમારા હાડકાની મજબૂતી માટે જે પણ કેલ્શિયમ લો છો, તે શરીરમાં શોષાય તે ખૂબ જ જરૂરી છે. આ માટે વિટામીન ડી જરૂરી છે. સૂર્યપ્રકાશથી સવારના 9 વાગ્યા સુધી વિટામિન ડી તમને સરળતાથી મળી રહે છે. તેથી સવારનો સૂર્યપ્રકાશ નિયમિતપણે લો અને દરરોજ થોડીવાર ચાલવાની આદત બનાવો. તેનાથી તમને દુખાવામાં ઘણી રાહત મળશે.

આ પણ વાંચો-

Constipation Remedies : જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ખોરાકથી મળશે તરત રાહત

આ પણ વાંચો-

રસોઇ સહિતના ઘરકામ કરતા ત્વચા વારંવાર બળી જાય છે? આ ઘરેલુ ઉપચાર અપનાવી મેળવો રાહત

Next Article