આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

|

Jan 18, 2021 | 2:43 PM

આપણે આંખ ફરકવાની ઘટનાને ઘણી અપશુકન બાબતો સાથે જોડી દઈએ છીએ. આંખના ફરકવા પાછળ ખરેખર તો તમારું સ્વાસ્થ્ય જવાબદાર છે.જેને લઈને નીચે મુજબની કાળજી પણ લેવી જોઈએ. મોટાભાગના લોકો આંખના ફરકવાને અશુભ સંકેત માને છે અને તેને અપશુકન સાથે જોડી દે છે. સાચું કારણ જાણવા જઈએ તો આંખની સારસંભાળ તેની પાછળ જવાબદાર છે અને તેને […]

આંખ ફરકવાને અશુભ સંકેત કે અપશુકન માનવામાં આવે છે પણ આ છે સાચું વૈજ્ઞાનિક કારણ?

Follow us on

આપણે આંખ ફરકવાની ઘટનાને ઘણી અપશુકન બાબતો સાથે જોડી દઈએ છીએ. આંખના ફરકવા પાછળ ખરેખર તો તમારું સ્વાસ્થ્ય જવાબદાર છે.જેને લઈને નીચે મુજબની કાળજી પણ લેવી જોઈએ.

મોટાભાગના લોકો આંખના ફરકવાને અશુભ સંકેત માને છે અને તેને અપશુકન સાથે જોડી દે છે. સાચું કારણ જાણવા જઈએ તો આંખની સારસંભાળ તેની પાછળ જવાબદાર છે અને તેને લઈને આપણી આંખ ફરકે છે. આંખની માંસપેશીઓ ખુબ જ સંવેદનશીલ હોય છે અને જ્યારે તેમની સાથે કોઈ પ્રોબ્લેમ ઉભો થાય ત્યારે આંક ફરકી શકે છે. આની સાથે જો તમારે ઉજાગરો કરતાં હોય અને તમારી નિંદર લેવાની પ્રક્રિયા અનિયમિત હોય તો પણ આંખ ફરકી શકે છે. જો તમે ખાસ તણાવમાં રહેતા હોય તો પણ તમારી આંખ પર અસર પડી શકે છે. ઘણી વખત કોઈ ખાસ પ્રકારની એલર્જી થઈ હોય તો પણ આપણી આંખ ફરકવા લાગે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો:  રાહુલ ગાંધીએ કહ્યું કે કમલનાથ, અશોક ગહલોત અને પી. ચિદમ્બરમે પાર્ટી કરતાં પોતાના પુત્રોનો મોહ વધારે રાખ્યો!

જો તમે કોઈ ઓફિસમાં સતત લેપટોપ કે કમ્પ્યુટર પર કામ કરતાં હોય તો તેના લીધે પણ તમારી આંખને થાક લાગે છે અને આંખ ફરકવા લાગે છે. ઘણીવાર તો એલર્જીના કારણે આંખ ફરકાવાની સાથે તેમાં સતત પાણી આવ્યા કરે છે. જો તમારી આંખોમાં ડ્રાયનેસ વધારે હોય અને ખંજવાળ આવે તો પણ આંખો ફરકવા લાગે છે. આંખોને જરુરી તત્વ એવું મેગ્નેશિયમની પણ શરીરમાંથી ઉણપ થાય તો પણ આંખ ફરકે છે. જો તમે વધારે કેફીન, દારુનું સેવન કરતાં હોય તો આંખ ફરકવાની સમસ્યા ઉભી થઈ શકે.

TV9 Gujarati

 

આંખ ફરકે ત્યારે તેને હુંફાળા પાણીથી ધોવી જોઈએ અને તેની સાઈડમાં ધીમી માલિશ કરવી જોઈએ. વધારે સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ જેના લીધે આંખને કોઈ મોટા નુકસાનથી બચાવી શકાય.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:20 am, Sun, 26 May 19

Next Article