લગ્નની રજવાડી કંકોત્રીની કિંમત સાંભળીને તમે ચોંકી જશો, રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના જાજરમાન લગ્ન

|

Nov 11, 2021 | 3:36 PM

રાજકોટના કડવા પાટીદાર સમાજના અગ્રણી અને ઉધોગપતિ સેસા ઓઇલ બ્રાન્ડના પ્રણેતા મૌલેશ ઉકાણીના પુત્રના લગ્નોત્સવ ૧૪ થી ૧૬ નવેમ્બર રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાશે.

લગ્નની અવનવી કંકોત્રી તો આપે જોઈ જ હશે પરંતુ આજે અમે તમને એવી રજવાડી કંકોત્રી બતાવવા જઈ રહ્યા છે કે જેનું વજન 4.28 કિલો છે.તેમજ તેની કિંમત 7 હજાર રુપિયા છે.રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. ત્યારે આ શાહી લગ્નની કંકોત્રી પણ રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આ એક કંકોત્રી બનાવવા પાછળ મૌલેશભાઇએ 7 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં 7 પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમની ઝાંખી દર્શાવવામાં આવી છે. કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે. કંકોત્રી ખોલો તે પહેલા રજવાડી પટારા પર શ્રીનાથજીના દર્શન થાય છે. બાદમાં એક બાદ એક લગ્નના કાર્યક્રમો સાથેના પાના રાખવામાં આવ્યા છે. કંકોત્રીમાં કાપડ અને ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યા છે. ત્યારે આ કંકોત્રીને લોકોમા આકર્ષણનું કેન્દ્ર બની છે.

રાજકોટના કડવા પાટીદાર સમાજના અગ્રણી અને ઉધોગપતિ સેસા ઓઇલ બ્રાન્ડના પ્રણેતા મૌલેશ ઉકાણીના પુત્રના લગ્નોત્સવ ૧૪ થી ૧૬ નવેમ્બર રાજસ્થાનના જોધપુર ખાતે આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાશે.આ લગ્ન પ્રસંગ માટે રાજકોટથી ૩ ચાર્ટડ પ્લેનમાં જાનનું પ્રયાણ થશે.સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ક્યારેય ન યોજાયા હોય તેવી જાજરમાન ભવ્યતિભવ્ય લગ્નોત્સવ યોજાવા જઇ રહ્યા છે.રાજકોટના જાણીતા ઉધોગપતિ મૌલેશભાઇ પટેલ અને સોનલબેન પટેલના સુપુત્ર ચિં.જયના લગ્ન મોરબીની વિખ્યાત આજવીટો ટાઇલ્સવાળા અરવિંદભાઇ પટેલ અને શિતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે આગામી ૧૪-૧૫ અને ૧૬ નવેમ્બરના રોજ રાજસ્થાનના જોઘપુરમાં આવેલા ઉમેદ ભવન પેલેસ ખાતે યોજાશે.

Next Video