Gir Somnath જિલ્લામાં નાળિયેરના બગીચામાં સફેદ માખીએ આતંક મચાવ્યો છે. ખેડૂતોએ સફેદ માખીને મારવા મોટા પ્રમાણમાં દવાઓનો છંટકાવ કર્યો. આમ છતાં નાળિયેરનો પાક બેસતો જ નથી. દરિયાકાંઠાનું હવામાન અને ખારૂ પાણી માફક હોવા છતાં નાળિયેરનું ઉત્પાદન ન થતાં ખેડૂતોને ભારે ખોટ સહન કરવી પડે છે. સફેદ માખીના રોગથી પરેશાન ખેડૂતોના છૂટકે ભારે જતન કરીને ઉછેરેલી નાળિયેરી પર કરવત ચલાવવા મજબૂર બન્યા છે. આ નાળિયેરીના પાકમાં નુકસાન સહન કરનાર ખેડૂતો સરકાર પાસે વળતરની માગણી કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Painfuel Increase અમૂલ પણ તેના નવા ટોપિકલ સાથે ફ્યુલના વધતાં ભાવની ચર્ચામાં જોડાયું