Gir Somnathમાં નાળિયેરના બગીચામાં સફેદ માખીનો આતંક, વળતરની માંગણી

Gir Somnathમાં નાળિયેરના બગીચામાં સફેદ માખીનો આતંક, વળતરની માંગણી

| Edited By: | Updated on: Feb 19, 2021 | 9:02 PM

Gir Somnath જિલ્લામાં નાળિયેરના બગીચામાં સફેદ માખીએ આતંક મચાવ્યો છે. ખેડૂતોએ સફેદ માખીને મારવા મોટા પ્રમાણમાં દવાઓનો છંટકાવ કર્યો.

Gir Somnath જિલ્લામાં નાળિયેરના બગીચામાં સફેદ માખીએ આતંક મચાવ્યો છે. ખેડૂતોએ સફેદ માખીને મારવા મોટા પ્રમાણમાં દવાઓનો છંટકાવ કર્યો. આમ છતાં નાળિયેરનો પાક બેસતો જ નથી. દરિયાકાંઠાનું હવામાન અને ખારૂ પાણી માફક હોવા છતાં નાળિયેરનું ઉત્પાદન ન થતાં ખેડૂતોને ભારે ખોટ સહન કરવી પડે છે. સફેદ માખીના રોગથી પરેશાન ખેડૂતોના છૂટકે ભારે જતન કરીને ઉછેરેલી નાળિયેરી પર કરવત ચલાવવા મજબૂર બન્યા છે. આ નાળિયેરીના પાકમાં નુકસાન સહન કરનાર ખેડૂતો સરકાર પાસે વળતરની માગણી કરી રહ્યાં છે.

 

 

આ પણ વાંચો: Painfuel Increase અમૂલ પણ તેના નવા ટોપિકલ સાથે ફ્યુલના વધતાં ભાવની ચર્ચામાં જોડાયું