VALSAD : કહેવાય છેને કે રામ રાખે તેણે કોણ ચાખે, એટલે કે જીવનમરણ તો ભગવાનના હાથમાં જ છે. પરંતુ, કોઇનો જીવ બચાવવા કયારેક ઘણા નિમિત બનતા હોય છે. આવું જ કંઇક વલસાડ જિલ્લામાં સામે આવ્યું છે. જિલ્લાની પાર નદીના પુલ પરથી ધવલ ટંડેલ નામના યુવકે આત્મહત્યા માટે છલાંગ લગાવી હતી. પરંતુ, ભગવાનને આ પસંદ ન હતું. અને યુવકે છલાંગ લગાવતો જોઇએ એક સ્થાનિક તરવૈયાએ તાત્કાલિક નદીમાં છલાંગ મારી હતી. અને, યુવકનો જીવ બચાવ્યો હતો. જોકે યુવકના છલાંગ લગાવવાનું કારણ હજું અકબંધ છે.