Gujarati NewsGujaratValsad people beware you could have to struggle hard for water in your day to day life
વલસાડવાસીઓ પાણીની બચત કરતા રહેજો, થોડાં જ દિવસોમાં પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે
લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા વલસાડ શહેરમાં પાલિકાના લાપરવાહ વહીવટના કારણે જળ સંકટ ઉભું થવાની દેહશત વર્તાઈ રહી છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની સપાટી ઘટી છે અને એના કારણે થોડાજ દિવસોમાં પાણી પૂરું થઇ જશે. જેથી વલસાડની જનતાએ પાણીની કોઈ વૈકલ્પિક વ્યસ્થા કરવી પડશે. હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માત્ર ૧૫-૨૦ મિનીટ અપાઈ […]
Follow us on
લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા વલસાડ શહેરમાં પાલિકાના લાપરવાહ વહીવટના કારણે જળ સંકટ ઉભું થવાની દેહશત વર્તાઈ રહી છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની સપાટી ઘટી છે અને એના કારણે થોડાજ દિવસોમાં પાણી પૂરું થઇ જશે.
જેથી વલસાડની જનતાએ પાણીની કોઈ વૈકલ્પિક વ્યસ્થા કરવી પડશે. હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માત્ર ૧૫-૨૦ મિનીટ અપાઈ રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૮ દિવસથી પાણી પહોંચ્યું જ નથી. જેના કારણે લોકો પરેશાન થઇ ગયા છે.
ખાસ કરીને ગૃહિણીઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. વલસાડમાં જે પાણી આવે છે એ કાંકરા પાર કેનલ થકી આવે છે. પરંતુ ત્યાં મરામત ચાલતી હોવાથી હાલમાં પાણી નથી આવતું. જેથી વર્તમાન પરિસ્થિતિ માત્ર ૧૦ દિવસ અને તે પણ કાપ મૂકીને ચાલે એટલું જ પાણી વલસાડ વોટર વર્કસમાં છે. તો બીજી બાજુ આ પરિસ્થિતિને પોહચી વળવા પાલિકાએ બોર કર્યા હોવાના દાવા થઇ રહ્યા છે. પરંતુ તેમ છતાં લોકોને પાણી મળતું નથી.
તો બીજી બાજુ વિરોધ પક્ષે પાલિકાના પૂર્વ આયોજનને નબળું ગણાવ્યું છે. પાલિકાને પહેલાથી જાણ હતી કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાણી મળવાનું નથી. તો આ માટે તંત્રે પહેલા જ કોઈ વ્યસ્થા કરવી જરૂરી હતી. જોકે હાલમાં જે બોર કર્યા છે એ પણ નિષ્ફળ ગયા હોવાનું વિરોધ પક્ષનું કેહવું છે અને જયારે બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે છે તો પાલિકાના સત્તાધીશો કોઈ જવાબ આપતા ન હોવાનું વિપક્ષ કહી રહ્યા છે.
શિયાળાના સમયમાંજ વલસાડમાં જળ સંકટ ઉભું થયું છે તો વિચારી શકાય કે ઉનાળામાં શું પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.ત્યારે વલસાડની જનતા પાણી વગર તરસી રહી છે અને પાણી ખરીદવાનો વારો આવી રહ્યો છે.ત્યારે વલસાડ નગરપાલિકાનું તંત્ર પાણીની આ સમસ્યા નિવારી શકશે કે પછી વલસાડ એ પાણી વગરજ રેહવાનો વારો આવે છે એ એક સવાલ છે.