વલસાડવાસીઓ પાણીની બચત કરતા રહેજો, થોડાં જ દિવસોમાં પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે

|

Feb 03, 2019 | 8:44 AM

લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા વલસાડ શહેરમાં પાલિકાના લાપરવાહ વહીવટના કારણે જળ સંકટ ઉભું થવાની દેહશત વર્તાઈ રહી છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની સપાટી ઘટી છે અને એના કારણે થોડાજ દિવસોમાં પાણી પૂરું થઇ જશે. જેથી વલસાડની જનતાએ પાણીની કોઈ વૈકલ્પિક વ્યસ્થા કરવી પડશે. હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માત્ર ૧૫-૨૦ મિનીટ અપાઈ […]

વલસાડવાસીઓ પાણીની બચત કરતા રહેજો, થોડાં જ દિવસોમાં પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે

Follow us on

લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા વલસાડ શહેરમાં પાલિકાના લાપરવાહ વહીવટના કારણે જળ સંકટ ઉભું થવાની દેહશત વર્તાઈ રહી છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડતા ડેમમાં પાણીની સપાટી ઘટી છે અને એના કારણે થોડાજ દિવસોમાં પાણી પૂરું થઇ જશે.

જેથી વલસાડની જનતાએ પાણીની કોઈ વૈકલ્પિક વ્યસ્થા કરવી પડશે. હાલમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માત્ર ૧૫-૨૦ મિનીટ અપાઈ રહ્યું છે. તો કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૮ દિવસથી પાણી પહોંચ્યું જ નથી. જેના કારણે લોકો પરેશાન થઇ ગયા છે.
ખાસ કરીને ગૃહિણીઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ છે. વલસાડમાં જે પાણી આવે છે એ કાંકરા પાર કેનલ થકી આવે છે. પરંતુ ત્યાં મરામત ચાલતી હોવાથી હાલમાં પાણી નથી આવતું. જેથી વર્તમાન પરિસ્થિતિ માત્ર ૧૦ દિવસ અને તે પણ કાપ  મૂકીને ચાલે એટલું જ પાણી વલસાડ વોટર વર્કસમાં છે. તો બીજી બાજુ આ પરિસ્થિતિને પોહચી વળવા પાલિકાએ બોર કર્યા હોવાના દાવા થઇ રહ્યા છે. પરંતુ તેમ છતાં લોકોને પાણી મળતું નથી.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
તો બીજી બાજુ વિરોધ પક્ષે પાલિકાના પૂર્વ આયોજનને નબળું ગણાવ્યું છે. પાલિકાને પહેલાથી જાણ હતી કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાણી મળવાનું નથી. તો આ માટે તંત્રે પહેલા જ કોઈ વ્યસ્થા કરવી જરૂરી હતી. જોકે હાલમાં જે બોર કર્યા છે એ પણ નિષ્ફળ ગયા હોવાનું વિરોધ પક્ષનું કેહવું છે અને જયારે બોર્ડમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે છે તો પાલિકાના સત્તાધીશો કોઈ જવાબ આપતા ન હોવાનું વિપક્ષ કહી રહ્યા છે.
શિયાળાના સમયમાંજ વલસાડમાં જળ સંકટ ઉભું થયું છે તો વિચારી શકાય કે ઉનાળામાં શું પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.ત્યારે વલસાડની જનતા પાણી વગર તરસી રહી છે અને પાણી ખરીદવાનો વારો આવી રહ્યો છે.ત્યારે વલસાડ નગરપાલિકાનું તંત્ર પાણીની આ સમસ્યા નિવારી શકશે કે પછી વલસાડ એ પાણી વગરજ રેહવાનો વારો આવે છે એ એક સવાલ છે.
[yop_poll id=1026]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Next Article