વલસાડ : કોરોના મહામારીને કારણે ઉદ્યોગોને માઠી અસર, 700 કરોડની સબસિડીની સરકારની જાહેરાત

|

Oct 25, 2021 | 11:33 AM

ગુજરાત સરકારે ઉદ્યોગને વેગ આપવા માટે રૂપિયા 700 કરોડની સબસિડીની જાહેરાત કરી હતી. ત્યારે એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા ઉદ્યોગકારોને આ સબસિડીનો લાભ લેવા જણાવ્યું હતું.

કોરોના મહામારીને કારણે રાજ્યના ઉદ્યોગ-ધંધા પર માઠી અસર પડી હતી. ગુજરાત સરકારે ઉદ્યોગને વેગ આપવા માટે રૂપિયા 700 કરોડની સબસિડીની જાહેરાત કરી હતી. ત્યારે એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા ઉદ્યોગકારોને આ સબસિડીનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે પાટીલે કનુભાઈ અને સરકારનો આભાર પણ માન્યો હતો. આ સબસિડીના કારણે કોરોના કાળમાં માદા પડી ગયેલા ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળશે. સબસિડીની સહાયથી વાપીના ઉદ્યોગકારોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

વાપી મુલાકાતે આવેલા સી.આર.પાટીલની ટકોર

વાપીની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ટકોર કરી છે કે, નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ. મહત્વનું છે કે પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં પાટીલે ભાજપના પેજ કમિટી અને તેની તાકાત તેમજ ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સી.આર.પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું. પાટીલે નેતાઓ અને કાર્યકરોને આડકતરી રીતે ઈશારો કરીને કહ્યું, હવે ટિકિટ નહીં મળતા નારાજ થતાં કે પાર્ટી બદલતા નેતાઓએ પણ સમજવાની જરૂર છે કે, પેજ કમિટીની તાકાત એટલી છે કે હવે કોઈ એક વ્યક્તિ નારાજ થાય તો પાર્ટી પરિણામ બદલાશે તેવું કોઈ વિચારી રહ્યું હોય તો એ ખોટું છે…નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું જોઈએ.

Next Video