vadodara : સૂરસાગર તળાવ તંત્રની નિષ્કાળજીનો ભોગ બન્યું, ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

|

Jul 20, 2021 | 10:43 PM

વડોદરા શહેરના ઓળખસમા સૂરસાગર તળાવનું ભલે બ્યુટિફિકેશન કરી દેવાયું. પરંતુ આ ઐતિહાસિક તળાવ તંત્રની નિષ્કાળજીનો ભોગ બન્યું છે.

vadodara : શહેરની ઓળખ સમાન સૂરસાગર તળાવનું ભલે બ્યુટિફિકેશન કરી દેવાયું. પરંતુ આ ઐતિહાસિક તળાવ તંત્રની નિષ્કાળજીનો ભોગ બન્યું છે. 35 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. તો તળાવનું પાણી પણ દુષિત થવાને પગલે જળચર પ્રાણીઓના મૃત્યુ થઇ રહ્યું છે. તળાવમાં માછલી અને કાચબાના મોત બાદ સાફ સફાઇ ન કરાતા, આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું છે. તળાવની આસપાસ રહેતા અને વેપાર કરતા લોકો હેરાન પરેશાન બન્યા છે. સ્થાનિક વેપારીઓનો આરોપ છે કે દુષિત પાણી અને ગંદકીને પગલે અહીં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. રહીશોની માગ છે કે તંત્ર આ મામલે સત્વરે કામગીરી કરે.

તો 35 કરોડના આંધણ મામલે જ્યારે વડોદરા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પુછાયું તો તેઓનો જવાબ પણ સાંભળવા લાયક હતો. ચેરમેનનો દાવો છે કે તંત્ર સમયાંતરે કામગીરી કરતું જ હોય છે. અને સૂરસાગરના કેસમાં પણ ઓક્સિજનનું લેવલ વધારવાના પ્રયાસો થયા છે.

 

Next Video