vadodara : શ્રાવણ મહિનો શરૂ થવામાં થોડા જ દિવસો બચ્યા છે. આ વખતે 9મી ઓગસ્ટ એટલે કે, સોમવારના દિવસથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. જેથી શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટી શકે છે. અને આ જ ભીડને પહોંચી વળવા વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. દૂધના અભિષેક માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝના નિયમોનું પણ પાલન કરવાની તૈયારી કરવામાં આવી છે.