vadodara : આરોગ્ય વિભાગની સતત બીજા દિવસે પાણીપુરી વિક્રેતાઓ પર તવાઇ

|

Aug 13, 2021 | 10:26 PM

વડોદરા શહેરમાં પાણીપુરી વિક્રેતાઓ પર બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પાણી પુરીનો મસાલો જ્યાં તૈયાર થાય છે તે રસોડા પર આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી.

vadodara : શહેરમાં પાણીપુરી વિક્રેતાઓ પર બીજા દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પાણી પુરીનો મસાલો જ્યાં તૈયાર થાય છે તે રસોડા પર આરોગ્ય વિભાગની ટીમો ત્રાટકી હતી. વારસિયામાં તિવારીની ચાલી, વાઘોડિયા ઉકાજીનું વાડિયું વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાચા બટાકા, ચણા, પાણી સહિતની ચીજ વસ્તુઓના નમુના લેવાયા હતા. તપાસમાં કલરવાળું પાણી પણ મળી આવ્યું હતું. પ્રથમ દિવસે 70 જેટલા વિક્રેતાઓને ત્યાં તપાસ કરાઈ હતી. 7 અલગ અલગ નમુના લેવાયા હતા. 7 વેપારીને ફૂડની નોટિસ અપાઈ હતી. 30 કિલો બટાકા, ચણા અને પાણીનો નાશ કરાયો હતો. ઋતુજન્ય અને પાણીજન્ય રોગો ના વધે તે માટે અગામી દિવસોમાં પણ આરોગ્ય વિભાગની કાર્યવાહી જારી રહેશે.

Next Video