હરીહરાનંદ ભારતી બાપુને જૂનાગઢ ભારતી આશ્રમ લઇ જવાયા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં પૂછપરછ કરાઈ

|

May 04, 2022 | 3:11 PM

હરીહરાનંદ ભારતી બાપુ (Hariharanand Bharti Bapu)  ગુમ થયા બાદ નાસિકથી મળ્યા હતા અને વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ તેમને લઈને વડોદરા (Vadodara)  પહોંચી હતી જ્યાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બાપુની પુછપરછ કરવામાં આવી હતી.

હરીહરાનંદ  ભારતી બાપુને જૂનાગઢ ભારતી આશ્રમ લઇ જવાયા, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં પૂછપરછ કરાઈ
Hariharanand Bharti Bapu

Follow us on

જૂનાગઢ (Junagadh) ના ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપુ (Hariharanand Bharti Bapu)  ગુમ થયા બાદ નાસિકથી મળ્યા હતા અને વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ તેમને લઈને વડોદરા (Vadodara)  પહોંચી હતી જ્યાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બાપુની પુછપરછ કરવામાં આવી હતી. તેની પુછપરછ બાદ તેમને જૂનાગઢ ભવનાથ ખાતે આવેલા ભારતી આશ્રમ લઇ જવાયા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) ઓફિસમાં પૂછપરછ બાદ તેમને જૂનાગઢ જવા રવાના કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ નાસિકમાં ટેક્સીમાંથી સલામત હોવાની માહિતી મળી હતી. બાપુના અનુયાયીઓ દ્વારા જ તેમને શોધી કઢાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમને લેવા માટે રવાના થઈ હતી અને તેમને નાસિકથી વડોદરા લાવી હતી. સ્વામી હરીહરાનંદને શોધવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, PCB અને સાયબર સેલ સહિતની ટીમો લાગી હતી. બાપુના ગુમ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચા તેજ બની રહી છે.

આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા

ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે વડોદરાની ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા હતા. ફૂટેજમાં હરીહરાનંદ બાપુ રસ્તા પર ચાલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વાડી પોલીસ સહિતની ટીમો બાપુને શોધવામાં કામે લાગી હતી.આ ઉપરાંત એ પણ સામે આવ્યુ હતુ કે, ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે ગયા હતા. ત્યારે હાલ હરીહરાનંદ બાપુ ક્યા કારણોસર ગુમ થયા હતા તે પોલીસ પુછપરછમાં જ માહિતી બહાર આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી

હરીહરાનંદ ભારતી બાપુએ ગુમ થતાં પહેલાં એક ચીઠ્ઠી લખી હતી આ ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો હતો. હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ ગાદી સંભાળી હતી. આ ઘટના બાદ હરીહરાનંદ ભારતી બાપુના ભક્તોએ વડોદરાના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. હરીહરાનંદ ભારતી બાપુને માથાભારે શખ્શો તરફથી જાનથી મારી નાખવાની ધમકી પણ મળતી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જેણા કારણે વડોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

Next Article