Vadodara: કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ, 4 કર્મચારીના મોત અને 10 થી વધુને ઈજા

|

Dec 24, 2021 | 12:33 PM

વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ છે.

Vadodara: કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ, 4 કર્મચારીના મોત અને 10 થી વધુને ઈજા
Vadodara Boiler blast at Canton Laboratories near Vadsar Bridge

Follow us on

Vadodara: વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યુ છે. બોઈલર ફાટતાં કેટલાક કર્મચારીઓ દાઝ્યા હોવાની પણ વિગતો મળી રહી છે. ત્યારે કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી છે. ગંભીર રીતે દાઝી જતા 4 કર્મચારીના મોત થયા છે. ત્યારે 10થી વધુને ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ ગુજરાતમાં પંચમહાલના હાલોલમાં જીએફએલ કંપનીના બ્લાસ્ટમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. GFL કંપનીએ મૃતકોના સગાને 20 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. તો આ દરમ્યાન પંચમહાલની GFL કંપનીમાં લાગેલી આગ દરમિયાન દાઝેલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ત્યારે આરોગ્ય પ્રધાન નિમિષા સુથારે હોસ્પિટલમાં સારવાર લેતા લોકોને મળીને ખબર-અંતર પૂછ્યા હતા. નિમિષા સુથારે કહ્યું કે હવે કોઈની તબિયત ગંભીર નથી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 લોકોના સગાને સહાય ચુકવાશે. આ ઉપરાંત ઘાયલોને પણ વળતર ચુકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પંચમહાલના હાલોલમાં જીએફએલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. SDRFની ટીમના સર્ચ ઓપરેશનમાં વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. તો આ ઘટનામાં મૃત્યુઆંક 7 પર પહોંચી ગયો. જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત હતા. આ દુર્ઘટનામાં પીડિતોને આર્થિક સહાય આપવા અંગે કંપનીના સત્તાધિશોએ નિવેદન આપ્યું હતું.કંપનીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 20 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા સાત લાખની સહાય આપશે સાથે જ દુર્ઘટનાની તપાસ માટે ટેક્નિકલ ટીમ કામ કરી રહી હોવાનું પણ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: ONGC Recruitment 2021: HR એક્ઝિક્યુટિવ અને PRO ની પોસ્ટ માટે મંગાવાઈ રહી છે અરજી, જાણો કઈ રીતે કરવું એપ્લાય

આ પણ વાંચો: Punjab Assembly Election 2022 : પંજાબ કોંગ્રેસના સાંસદો સોનિયા ગાંધીને મળ્યા, લુધિયાણા બોમ્બ બ્લાસ્ટ અને ચૂંટણીની વ્યૂહરચના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી

Published On - 10:38 am, Fri, 24 December 21

Next Article