VADODARA : દિવાળી ટાણે ફટાકડાની ખરીદીમાં ધૂમ વેચાણ, વેપારીઓમાં ખુશાલી

|

Nov 02, 2021 | 6:09 PM

નોંધનીય છેકે કોરોના મહામારીમાં ગત વરસે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી. ત્યારે આ વરસે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે. બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.

દિવાળી ટાણે ફટાકડાની ખરીદીમાં બજારમાં પહેલા જેવો માહોલ જોવા મળ્યો નથી. વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં ફટાકડા માર્કેટમાં દર વર્ષ જેવી ખાસ ભીડ ન હતી. જોકે ફટાકડાના વેપારીઓ આશા રાખી રહ્યા છે કે ગત વર્ષ કરતા આ વર્ષે તેમને સારો ફાયદો થશે. ગત વર્ષ કરતા 30 ટકા જેવી ઘરાકી વધી છે. તો રાજ્યમાં ફટાકડા ફોડવાનો નિયમ રાત્રે 8થી 10 વાગ્યા સુધીજ હોવાથી પણ ઘણા લોકો ધ્યાન રાખીને ખરીદી કરી રહ્યા છે.

નોંધનીય છેકે કોરોના મહામારીમાં ગત વરસે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી. ત્યારે આ વરસે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે. બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. અને, બજારમાં વેપારીઓના ચહેરા પર દિવાળીની ખુશી છલકાઇ રહી છે. ત્યારે આ વરસે ફટાકડા સહિતની દિવાળીની દરેક વસ્તુઓના વેચાણમાં ધૂમ વધારો નોંધાયો છે. જેને પગલે દિવાળીની રોનક જોવા મળી રહી છે.

સામાન્ય રીતે લોકો ખાસ દિવસે સોનાની ખરીદી કરતા હોય છે. ધનતેરસ, પુષ્ય નક્ષત્ર વગેરે દિવસોમાં સોનું ખરીદવું એ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ઘર અને વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે. ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ધાર્મિક માન્યતાનો અવગણીએ તો પણ સોનું હંમેશા રોકાણની દ્રષ્ટિએ ખરુ જ સાબિત થયું છે. રોકાણના તમામ વિકલ્પોમાં, સોનું હંમેશા સૌથી સુરક્ષિત હોય છે અને સૌથી વધુ વળતર આપનારૂ છે.

Published On - 6:08 pm, Tue, 2 November 21

Next Video