અનોખું આયોજનઃ ખોડલધામના વર્ચ્યુઅલ પાટોત્સવ માટે ગામેગામ 10 હજારથી વધુ LED સ્ક્રિન મુકાશે

|

Jan 19, 2022 | 5:18 PM

કોરોનાાની મહામારીને કારણે આ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે, જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજના લોકો વિવિધ માધ્યમોથી જોડાશે. લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરશે.

અનોખું આયોજનઃ ખોડલધામના વર્ચ્યુઅલ પાટોત્સવ માટે ગામેગામ 10 હજારથી વધુ LED સ્ક્રિન મુકાશે
File photo

Follow us on

મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર (Patidar) સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ (Khodaldham) કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022માં 5 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ પંચવર્ષિય મહોત્સવનું લાખો લેઉવા પાટીદાર સમાજના લોકોની સાક્ષી બનવા જઇ રહ્યા હતા. જોકે કોરોનાાની મહામારીને કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ (Virtual Patotsav) યોજાશે જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજ વિવિધ માધ્યમોથી જોડાશે. લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરશે. આ ઉપરાંત ટ્રસ્ટના સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પણ લાઇવ રહેશે. મહોત્સવને લઇને લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ છે જેથી સમાજના લોકો દ્વારા ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રિન મુકીને આ મહોત્વના સાક્ષી બનશે.

મહાયજ્ઞ, ધ્વજારોહણ અને માતાજીની આરતી થશે

કોરોના (corona) ને કારણે રાજ્ય સરકારની એસઓપી સાથે આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે.નવી ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર સાથે હવે સવારે ૬ થી ૯ વાગ્યા સુધી મહાયગ્નનું આયોજન થશે ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને પછી ધ્વજારોહણ કરવામાં આવશે.મંદિર ટ્રસ્ટ દ્રારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કર્યું છે.બાકીના લોકોન્ વર્ચ્યુઅલ જોડાવા વિનંતી કરી છે.આ કાર્યક્રમ બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સમાજ જોગ સંદેશો આપશે અને અંતે રાષ્ટ્રગાન થશે.

કોરોનાના કારણે મહાસભા મોકુફ રખાઇ,સમાજ જોગ સંદેશા પર સૌની નજર

ખોડલધામના આ કાર્યક્રમમાં પહેલા મહાસભાનું આયોજન થવાનું હતું પરંતુ કોરોનાની મહામારીને કારણે આ મહાસભાને મોકુફ રાખવામાં આવી છે અને હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે.બીજી તરફ છેલ્લા ઘણાં દિવસોથી નરેશ પટેલના રાજકારણમાં આવવાની સમાજની ઇચ્છાને કારણે ગુજરાતનું રાજકારણ પહેલાથી ગરમાયું છે ત્યારે ૨૧મી જાન્યુઆરીના નરેશ પટેલના સમાજજોગ સંદેશા પર સૌની નજર રહેલી છે.મહત્વનું છે કે નરેશ પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ખોડલધામના સ્ટેજ પર ક્યારેય રાજકારણ નહિ કરે ત્યારે આ સમાજના સંદેશામાં લેઉવા પાટીદાર સમાજને એક થવાનો અને અન્ય સામાજિક સુધારાના સંદેશાઓ આપી શકે છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓના પુરસ્કાર કરતા સત્તાધીશોની કોટિ મોંધી!

આ પણ વાંચોઃ  Rajkot: કોરોના કેસમાં ત્રણ ગણો વધારો, વેક્સિન નહિ લેનાર દર્દીને પડે છે ઓક્સિજનની જરૂર

Published On - 4:47 pm, Wed, 19 January 22

Next Article