
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના 50 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. દર વખતે આ પ્રકારે ચૂંટણી પહેલા બદલી કરવામાં આવતી હોય છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બદલી કરવામાં આવી છે.
આ સાથે સમગ્ર ગુજરાતમાં થયેલી બદલીનું લિસ્ટ નીચે આપેલી pdfમાં છે.
ગાંધીનગર, મોરબી, વડોદરા, નવસારી,ખેડા, ગીર સોમનાથ, વલસાડ, સુરત, છોટાઉદેપુરના કલેકટરોની બદલી કરાઈ છે. ગાંધીનગર કલેકટર તરીકે એમ કે દવેની બદલી કરાઈ છે. જ્યારે બી એ શાહ જામનગર ખાતે બદલી કરાઇ છે.
બી એચ શાહ જામનગર કલેકટરની વડોદરા કલેકટર તરીકે બદલી કરાઈ છે. અમિત યાદવ કલેકટર નવસારીથી ખેડા-નડિયાદ બદલી કરાઈ છે. ટુરિઝમના એમડી સૌરભ પારધીની સુરત કલેકટર તરીકે બદલી. કે એલ બચાણી નવા માહિતી નિયામક બન્યા છે.
Published On - 10:48 pm, Tue, 30 January 24