Porbandar: કેટલાય લોકોની દિવાળી બગડી, તહેવાર પહેલા જ બે માતબર કંપનીને લાગ્યા તાળા
પોરબંદરમાં બે માતબર કંપનીઓ બંધ થઇ જતા ઘણા લોકો પર તેની અસર પડી છે. ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્શ પોરબંદરના પ્રમુખનું કહેવું છે કે સરકારની નીતિના કારણે એક પછી એક ઉદ્યોગ બંધ થતા જાય છે.
પોરબંદરમાં (Porbandar) તહેવાર પહેલા જ બે માતબર કંપની બંધ થઈ ગઈ છે. જેના પગલે બજારમાં મંદી જોવા મળી રહી છે. સાથે માંગ ઉઠી રહી છે કે, ઉદ્યોગોને પ્રોત્સાહન સરકાર આપે. ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્શ દ્વારા પણ સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. અનેક ઉદ્યોગો કે, જે પોરબંદરમાં ધમધમતા હતા તે ધીમે ધીમે બંધ થવા લાગ્યા છે.
બીજી તરફ દિવાળી (Diwali 2021) નજીક હોવા છતાં પોરબંદરની બજારોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવાર હોવા છતા મુખ્ય બજારો ખાલી જોવા મળી રહી છે. આ અંગે વેપારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે વેપારીઓ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક લોકોની નોકરીઓ જતી રહી છે. બીજી તરફ આવકમાં ઘટાડો થયો છે અને મોંઘવારી વધી છે જેના પગલે લોકો રૂપિયા ખર્ચ કરવામાં ડરી રહ્યા છે જેની સીધી અસર વેપારીઓને થઈ રહી છે.
ડિસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્શ પોરબંદરના પ્રમુખનું કહેવું છે કે સરકારની નીતિના કારણે એક પછી એક ઉદ્યોગ બંધ થતા જાય છે. ત્યારે અમારી માંગણી છે કે સરકાર કંપની અને નાના નાના ઉદ્યોગોને સહકાર આપે.
આ પણ વાંચો: ખેડૂતો માટે રાહતના સમાચાર: ખાતરના ભાવ વધારાને લઈને મનસુખ માંડવિયાની મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
