ST અમારી, કેટલી સલામત સવારી? ચાલુ બસમાં નીકળી ગયું ટાયર, 30 થી વધુ મુસાફરોના જીવ ચોંટ્યા તાળવે

|

Oct 27, 2021 | 7:57 AM

દાહોદથી દેવગઢબારીયા જતી બસમાં અકસ્માત સર્જાયો છે. બસનું ટાયર નીકળી જતા મુસાફરો ઘભારાઈ ગયા હતા. જો કે સદનશીબે કોઈ જાનહાની થઈ નથી.

Dahod: જિલ્લામાં દેવગઢબારીયા જતી બસનો અકસ્માત સામે આવ્યો છે. શ્વાસ થંભાવી દે એવા આ અકસ્માતમાં ચાલુ બસે ટાયર નીકળી ગયું હતું. જી હા  દાહોદથી દેવગઠબારીયા જતી ST ની મીની બસનું ટાયર નીકળ્યાના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માતમાં સારી વાત એ છે કે કોઈ મોટું નુકસાન નથી થયું.

ચાલુ બસમાં ટાયર નીકળી જતા બસે કંટ્રોલ ઘુમાવ્યો હતો. અને ઘટના સમયે અંદર બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ એસટી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. બસનું ટાયર હાઇવે ઉપર જતા મોટરસાયકલને અથડાયું હતું. અને આ ચાલક પડ્યો હતો. સદનસીબે કોઈ મોટી જાન હાની નહી થઇ હોવાના હાલ અહેવાલ આવ્યા છે.

જાહેર છે કે ST નું સ્લોગન છે, ST અમારી, સલામત સવારી ત્યારે વારંવાર આવી ઘટનાઓ આ સ્લોગન પર જ સવાલો ઉભા કરે છે. દર વર્ષે ઘણા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ચાલુ બસમાં ટાયર નીકળી જવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવામાં ST ની સવારી કેટલી સલામત, એ મોટો પ્રશ્ન છે.

 

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ

આ પણ વાંચો: રાજ્ય સરકારની કોલેજોના પ્રોફેસરોને દિવાળી ભેટ, કોરોના હળવો થતા લંબાવાયું દિવાળી વેકેશન, જાણો વિગત

Published On - 7:53 am, Wed, 27 October 21

Next Video