Tapi : વાલોડ તાલુકાના શિકરે ગામેથી દીપડો પાંજરે પુરાયો છે. વન્યપ્રાણીઓ અવાર નવાર માનવ વસાહતમાં ફરતા હોય છે . જેને લઈને સ્થાનિક લોકોમાં ભય જોવા મળે છે. આવી જ રીતે તાપીના એક ગામમાં દીપડાએ દેખા દીધા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. જેને લઈને વન વિભાગે પાંજરું મૂકીને દીપડાને ઝડપી લીધો છે અને બાદમાં જંગલમાં છોડી મૂકવામાં આવશે.