surendranagar : જિલ્લામાં દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ, ખંડણી અને ભૂમાફિયાઓની દાદાગીરી સહિતના બનાવો વધી રહ્યું છે. ત્યારે સૌ પ્રથમ વખત જિલ્લા પોલીસ દ્વારા *એક તક પોલીસને* લોકદરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પીડીતીઓને રૂબરૂ સાંભળી યોગ્ય તપાસ કરી તાત્કાલીક વ્યાજખોરો સામે એફ.આઇ.આર. કરી કડક કાર્યવાહી હાથ ધરવા જે તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સુચના આપવામાં આવી હતી. તેમજ લોક દરબારમાં જીલ્લા ભરમાંથી અનેક પીડીતો ભુમાફીયાઓનો ત્રાસ, અને વ્યાજખોરોની ફરીયાદો લઇને રજુઆત કરવા ઉમટી પડ્યા હતા. હવે લોકોને આશા છેકે ભૂમાફિયાઓ અને વ્યાજખોરો સામે ન્યાય મળશે.