VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન

|

Feb 12, 2022 | 11:47 AM

ઓનલાઇન પરીક્ષામાં રેકનીકલ સમસ્યાઓ ઘણી બધી આવી રહી છે. છતાં સિન્ડિકેટ સભ્યો મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે એક દિવસ પહેલા જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેનાથી વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે તેના માટે જવાબદાર કોણ ? આ અંગે હજી કોઈ પાસે જવાબ નથી. 

VNSGU નો કંગાળ કારભાર, એક દિવસ પહેલા જ પરીક્ષા રદ્દ કરી દેવાતા વિદ્યાર્થીઓ હેરાન
Who is responsible for the technical problems in the online examination conducted by VNSGU?(File Image )

Follow us on

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) દ્વારા ઓનલાઇન (Online )પરીક્ષાને બદલે ઓફલાઇન (Offline )પરીક્ષા લેવા અને ઓનલાઇન પરીક્ષાની કામગીરીમાં છબ૨ડા કંપની વિરુધ્ધ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય ડો . ભાવેશ રબારી દ્વારા કુલપતિ અને કાર્યકારી કુલસચિવને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે સમગ્ર દેશ અને ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ ઓફલાઇન લેવાતી હોય ત્યારે માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવે છે . નર્મદ યુનિવર્સિટી દ્વારા અગાઉ લેવાયેલી પરીક્ષામાં પણ ટેકનિકલ સમસ્યાઓને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી .

અને વધારાની મોક ટેસ્ટ લેવામાં આવી હતી . આ વખતે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે . જેને પગલે 11 અને 12 તારીખની પરીક્ષા રદ કરી , વધારાની મોક ટેસ્ટ લેવામાં આવી છે . પરીક્ષાઓ છેલ્લી ઘડીએ રદ કરવાથી પરીક્ષાના ટાઇમ ટેબલમાં ફેરફાર થવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ઉભી થવાની છે તેના માટે જવાબદાર કોણ ? સિન્ડિકેટ સભ્યો પણ મૂક પ્રેક્ષક બની ગયા છે . યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ઓફલાઇન પરીક્ષા લેવાનું શરૂ કરવું જોઇએ અને ઓનલાઇન પરીક્ષામાં છબરડા કરતી પૂણેની વીશાઇન ટેક . પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ નાણાકીય દંડ કરી તપાસની કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી .

બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની ઓનલાઇન પરીક્ષામાં 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા
નર્મદ યુનિવર્સિટીની બી.સી.એ , બી.એડ્ અને એમ.એ.ની પરીક્ષામાં 99 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા . વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મોક ટેસ્ટમાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાવાના કારણે આર્ટસ , સાયન્સ અને કોમર્સ વિદ્યાશાખાની 11 અને 12 ફેબ્રુઆરીની પરીક્ષા રદ કરવામાં આવી છે . પરંતુ બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની પરીક્ષાઓ યથાવત રાખવામાં આવી હતી . બી.સી.એ , બી.એડ્ અને એમ.એડ્.ની ઓનલાઇન પરીક્ષા લેવાઇ હતી . જેમાં કુલ 11,097 વિદ્યાર્થીઓ નોંધાયા હતા . 10,980 વિદ્યાર્થીઓ હાજર અને 117 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા .

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આમ, ઓનલાઇન પરીક્ષામાં રેકનીકલ સમસ્યાઓ ઘણી બધી આવી રહી છે. છતાં સિન્ડિકેટ સભ્યો મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. સવાલ એ ઉભો થાય છે કે એક દિવસ પહેલા જે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે, તેનાથી વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે તેના માટે જવાબદાર કોણ ? આ અંગે હજી કોઈ પાસે જવાબ નથી.

આ પણ વાંચો :

Surat : રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવશે નેશનલ લેવલનું હાઈ પરફોર્મિંગ સેન્ટર

લો બોલો ! 60 હજારનો પોપટ ચોરાયો, સુરતના ઉમરા પોલીસમાં કરવામાં આવી ફરિયાદ

Next Article