સુરતની (Surat) સચિન GIDC માં આવેલી અનુપમ રાસાયણ કંપનીમાં (Anupam Chemical company) આગ લાગતાં એકનું મોત થયું છે.જ્યારે ત્રણ કારીગરોના સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા.આ સાથે મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે.હજુ પણ બે કામદારો હોસ્પિચલમાં સારવાર હેઠળ છે. મોડી રાત્રે કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.કંપનીમાં આગ (Fire) લાગી હોવાનો કોલ મળતાં જ ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.તમને જણાવી દઈએ કે, સચિન GIDCમાં કેમિકલ બનાવતી અનેક કંપનીઓ કાર્યરત છે.
અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે જ આગ લાગી હતી. આ આગ જોત જોતામાં ખૂબ જ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગની (Surat Fire Team)જાણ થતા 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી અને 4થી 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો.
અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો (Chemical) જથ્થો હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. જ્વલંતશીલ કેમિકલનો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ હતો. ફેક્ટરીમાં કેમિકલના ડ્રમ ભરેલા હોવાથી આગે જોત જતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધડાકાભેર ડ્રમ ફાટવાના અવાજથી ભયનો માહોલ ઉભો થયો હતો
Published On - 9:54 am, Sun, 11 September 22