Surat : માંડવીના આમલી ડેમના પાણીમાં લાપતા 5 મજુરોની શોધખોળ તેજ, 20થી વધુ ટીમો કામે લાગી

|

Jan 13, 2022 | 10:07 PM

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે 10 જેટલા શ્રમિકો નાવડીમાં બેસી નીકળ્યાં હતાં. બે દિવસ અગાઉ બનેલી આ દુર્ઘટનામાં નાવડી ડેમમાં વચ્ચેથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ સવારે ભારે પવન ફૂંકાતા નાવડી પલટી મારી ગઈ હતી.

Surat :  માંડવીના આમલી ડેમના પાણીમાં લાપતા 5 મજુરોની શોધખોળ તેજ, 20થી વધુ ટીમો કામે લાગી
Surat: Search for 5 laborers missing in Amli Dam water

Follow us on

Surat : માંડવીના આમલીડેમમાં પાણીમાં લાપતા પાંચ શ્રમિકોને શોધવા SDRF ની ટીમ પહોંચી, સતત ત્રીજા દિવસે 20થી વધુ સભ્યોની ટીમ વહેલી સવારથી કામે લાગી છે. માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં ગતરોજ શ્રમિકો ભરેલી નાવડી પલ્ટી મારવાની દુર્ઘટના સર્જાઈ તેમાં લાપતા પાંચ શ્રમિકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સ્થાનિક ફાયર વિભાગ અને પ્રસાશન શ્રમિકોને શોધવામાં નિષ્ફળ રહ્યા બાદ એસડીઆરએફની ટીમ માંડવી આવી પહોંચી છે.

સતત ત્રીજા દિવસે વહેલી સવારથી એસડીઆરએફ ની ટીમ સાથે ફાયર વિભાગ અને સ્થાનિક લોકો કામગીરીમાં જોતરાયા છે. પરંતુ ડેમમાં ઊંડા પાણીમાં ડૂબી ગયા બાદ લાપતા હજુ પાંચ પૈકી એકપણ શ્રમિકની કોઈ ભાળ મળી નથી.

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે 10 જેટલા શ્રમિકો નાવડીમાં બેસી નીકળ્યાં હતાં. બે દિવસ અગાઉ બનેલી આ દુર્ઘટનામાં નાવડી ડેમમાં વચ્ચેથી પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ સવારે ભારે પવન ફૂંકાતા નાવડી પલટી મારી ગઈ હતી. જેથી શ્રમિકો ડેમના પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ સાત શ્રમિકો ડેમના ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. 3 શ્રમિકો તરીને કિનારા સુધી આવી ગયા હતા.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ડેમમાં દુર્ઘટના સર્જાયાની જાણ થતાની સાથે જ તંત્રની સાથે સ્થાનિકો પણ દોડી આવ્યાં હતાં. ડેમમાં ડૂબેલાને શોધવા માટે સ્થાનિકો અને તંત્ર કામે લાગ્યું હતું જેમાં દેવનીબેન વસાવા (ઉ.વ. 63) અને ગીમલીબહેન વસાવા (ઉ.વ.62) ના મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ગઈકાલે (12-01-22) મોડી સાંજ સુધી મીરાભાઈ વસાવા, રાલુબહેન વસાવા, મગુભાઈ વસાવા, રાયકુબહેન વસાવા, પુનિયાભાઈ વસાવા ની કોઈ ભાળ મળી ન હતી.

સતત બે દિવસ સુધી સ્થાનિક ફાયર વિભાગની ટીમ અને તંત્ર દ્વારા લાપતા શ્રમિકોની શોધખોળની કામગીરીમાં જોતરાયા હતા. પરંતુ બે દિવસ બાદ પણ કોઈ ભાળ મળી ન હતી. જેથી આજે વહેલી સવારે એસડીઆરએફની ટીમ માંડવીમાં આવી પહોંચી હતી. સવારથી 20 સભ્યોની ટીમ લાપતા શ્રમિકોની શોધખોળમાં કામે લાગી છે જોકે બપોર સુધી તેમને હજુ કોઈ સફળતા મળી નથી.

આ પણ વાંચો : Surat : લેબોરેટરી અને હોસ્પિટલને સજ્જ રહેવા કલેકટરની તાકીદ, એક મહિના સુધી દવાનો સ્ટોક કરી રાખવા પણ આદેશ

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરમાં મજૂરોનું શહેરોમાંથી ગામડા તરફ પલાયન શરૂ થયું ? વાંચો સરકારે આ અંગે શું આપ્યો જવાબ

Published On - 10:05 pm, Thu, 13 January 22

Next Article