કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની ‘ફરિયાદ’

|

Feb 12, 2019 | 1:42 PM

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે. હસમુખભાઈ કેવડીયા સુરતમાં હીરાનું કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે . જેમની ઉંમર 39 વર્ષની છે. સુરતના હસમુખભાઈને 6 મહિના […]

કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની ફરિયાદ

Follow us on

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે.

હસમુખભાઈ કેવડીયા સુરતમાં હીરાનું કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે . જેમની ઉંમર 39 વર્ષની છે. સુરતના હસમુખભાઈને 6 મહિના પહેલા મોઢામાં દુખાવો થયો હતો. તેમને દલા-દરવાજા ખાતે આવેલ નાકરાણી હોસ્પિટલમાં ચેકપ કરાવ્યું હતું ત્યારે ડો.કૃણાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દાઢનો દુખાવો હોવાથી છેલ્લી દાઢ કાઢવી પડશે. તેને લઈ રિપોર્ટ પણ કરાવ્યો હતો ડોકટરે જેમાં કોઈ પ્રોબ્લેમ નથી તેવું ડોકટરે કહ્યું હતું. બાદમાં દાઢ કાઢી નાખવામાં આવી હતી.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હસમુખભાઈ દ્વારા આ સારવાર કરાવી હતી છતાં પણ કોઈ ફેર ન પડતાં 4 મહિના બાદ પણ મોઢામાં દુખાવો અને સોજો રહેતા દિવાળીના સમયે ભાવનગરમાં એક હોસ્પિટલમાં બતાવવા ગયાં હતાં. ત્યાં રિપોર્ટ કરતા એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. હસમુખભાઈના રિપોર્ટમાં વિગતો એવી બહાર આવી કે હસમુખભાઈને કેન્સર છે. આ કેન્સર 6 મહિના પહેલા હતું ત્યારે પ્રાથમિક સ્ટેજ પર હતું જેને લઈ હસમુખભાઈના પગ નીચેની જમીન ખસી જાવા પામી હતી. હાલમાં તો હસમુખભાઈ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. બાદમાં નાકરાણી હોસ્પિટલમાં આવી જ્યારે પહેલા રિપોર્ટ કરાવ્યો ત્યારે કેન્સર હતું ત્યારે ડોકટરે કહ્યું કે તમારો રિપોર્ટ બીજાને ચાલ્યો ગયો અને બીજાનો રિપોર્ટ હસમુખભાઈને આપી દેવામાં આવ્યો હતો. આમ હસમુખભાઈને ડૉક્ટરની બેદરકારી લાગતાં તેમણે ડૉ. કૃણાલ પટેલ વિરુધ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

[yop_poll id=1358]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:35 pm, Tue, 12 February 19

Next Article