Surat : આવતા મહિને સિવિલમાં આવશે 150 રેસિડન્ટ ડોક્ટર્સ, મેન પાવરમાં થશે વધારો

|

Jan 18, 2022 | 1:05 PM

કોરોનાના સમયગાળા દરમિયાન સતત બે વર્ષથી કામ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરો હવે અભ્યાસ પણ કરી શકશે. જેથી તેમને થોડી રાહત મળશે.

Surat : આવતા મહિને સિવિલમાં આવશે 150 રેસિડન્ટ ડોક્ટર્સ, મેન પાવરમાં થશે વધારો
Surat Civil Hospital (File Image )

Follow us on

સુરત(Surat )  માં હવે PG NEET કાઉન્સેલિંગ શરૂ થયું છે. અને હવે આગામી મહિના ફેબ્રુઆરીથી સિવિલ હોસ્પિટલમાં(New Civil Hospital )  નવા રેસિડેન્ટ ડોક્ટરોની ડ્યુટી શરૂ થશે.જેના લીધે  150 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ વિભાગોમાં આવશે. આમાંના મોટાભાગના રેસિડેન્ટ ડોક્ટરો(Resident Doctors ) એનેસ્થેસિયા, સર્જરી અને મેડિસિન વિભાગમાં જોવા મળશે.

સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે લગભગ 150 રેસિડેન્ટ ડોક્ટરોની નિમણૂક બાદ મેનપાવરની અછત લગભગ પૂરી થઈ જશે. કોરોનાના સમયગાળા દરમિયાન સતત બે વર્ષથી કામ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરો હવે અભ્યાસ પણ કરી શકશે. જેથી તેમને થોડી રાહત મળશે. તે જ સમયે, ડોકટરો પણ માને છે કે રેસિડેન્ટ ડોકટરો આવશે ત્યાં સુધીમાં, કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ જશે.

હોસ્પિટલમાં 150થી વધુ કોરોના દર્દીઓ હોય તો ડોક્ટર, નર્સ, લેબ ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન, કોમ્પ્યુટર ઓપરેટર, વોર્ડ વર્કર, સેનિટેશન વર્કરની જરૂરિયાત વધી જશે. જો કે 150 રેસિડન્ટ ડોકટર્સ ના આવ્યા પછી ડોકટરોની જરૂરિયાત પૂરી કરી શકાશે, પરંતુ અન્ય સ્ટાફની નિમણૂક કરવી પડશે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

કોરોનાનું વધતું સંક્રમણ જોતા સિવિલ કેમ્પસમાં ત્રણેય હોસ્પિટલ જેમાં કોવિડ, કિડની અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં 1500 જેટલા બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જોકે ત્રીજી લહેર સામે લડવા માટે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, મૃતદેહ પેકિંગ કરનારો સ્ટાફ તેમજ દર્દીની સંભાળ રાખનારા કર્મચારી અને ફાયરમેન નથી.

હજી સરકાર પાસે 3,500 જેટલા વધારાના કર્મચારીની માંગણી કરવામાં આવી

તે જ પ્રમાણે 33 મેડિકલ ઓફિસર, 760 નર્સ, 190 પેરામેડિકલ સ્ટાફ, 460 વર્ગ-4 કર્મચારી, 39 ફાર્માસિસ્ટ, 8 બાયોમેડિકલ ઈજનેર, 117 ડેટા એન્ટ્રી ઓપરેટર, 16 ડ્રાઈવર, 5 કાઉન્સિલર, 149 સિક્યોરિટી ગાર્ડ અને 17 ઓક્સિજન ઓપરેટર ફરજ બજાવી રહ્યા છે.

હાલની પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં કોરોનાના કેસની સાથે સિવિલના તબીબો સહિતના કર્મચારીઓ પણ સંક્રમિત થવાનો ભય તબીબી અધિકારીઓને લાગી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્રએ વધારાના 160 સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર, 290 મેડિકલ ઓફિસર, 800 નર્સ, 98 પેરામેડિકલ સ્ટાફ, 1,250 વર્ગ-4 કર્મચારી, 36 ફાર્માસિસ્ટ, 16 બાયોમેડિકલ ઈજનેર, 25 મૃતદેહ પેકિંગ કરનારા કર્મચારી, 180 ડેટા એન્ટ્રી ઓપરેટર, 300 દર્દીની સંભાળ રાખનારા કર્મચારી, 12 ડ્રાઈવર, 60 કાઉન્સિલર, 240 સિક્યોરિટી ગાર્ડ, 27 ફાયરમેન અને 9 ઓક્સિજન ઓપરેટરની માંગણી કરી છે.

આમ, પહેલી અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં લઈને ફરી કોઈ અફરાતફરીનો માહોલ અને પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે સિવિલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Navasari: નગરપાલિકાએ વધારેલા વેરા સામે વેપારીઓમાં રોષ, વેરામાંથી મુક્તિ આપવાની માગ

આ પણ વાંચો: Rajkot: બે માસમાં 2,500થી વધુ ઢોર પકડ્યાનો કોર્પોરેશનનો દાવો, વિપક્ષે કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Next Article