Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે

|

May 01, 2022 | 6:14 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સુરત(Surat)આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના મંત્રી વિનુ મોરડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. વિનુ મોરડિયા એ કેજરીવાલના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે મહેમાનો તો ગુજરાતમાં આવે છે અને જતા રહે છે.

Surat : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર બોલ્યા મંત્રી વિનુ મોરડીયા, ચૂંટણી આવે એટલે મહેમાનો તો આવતા જતા રહે
Gujarat Minister Vinu Moradiya on Kejriwal Visit

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election)જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો એકબીજા પર શાબ્દિક પ્રહારો વધતા જાય છે. ગુજરાતમાં હવે અન્ય મોટી પાર્ટીઓના નેતાઓની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)સુરત(Surat)આવી પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ફ્રેન્ડલી મેચ રમતી હતી. આટલા વર્ષોથી શાસનમાં રહેલી ભાજપ પાર્ટી હવે આમ આદમી પાર્ટીથી ડરી રહી છે અને એટલા માટે જ વિધાનસભા ચૂંટણીઓની તારીખ જલ્દી જાહેર કરી શકે છે.

જોકે તેની સામે આજે ગુજરાતના મંત્રી વિનુ મોરડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. વિનુ મોરડિયા એ કેજરીવાલના નિવેદન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે એટલે મહેમાનો તો ગુજરાતમાં આવે છે અને જતા રહે છે.ચૂંટણી આવે ત્યારે અન્ય રાજ્યોના મહેમાન આવતા હોય છે. કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે ઉમેર્યું હતું કે વિધાનસભા ભંગ કરવાના કે ચૂંટણી વહેલી યોજવાના તેમને સપના દેખાય છે. ચૂંટણી યોજવાનું કામ ચૂંટણી આયોગનું છે, કોઈ પણ સરકારનું નથી. ચૂંટણી તેના નિયત સમય થશે તેવી વાત પણ મંત્રી વિનુ મોરડિયા એ કરી હતી.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકામાં પહેલીવાર વિપક્ષમાં બેસીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી લેનાર આમ આદમી પાર્ટી હવે વિધાનસભામાં જીતવા તનતોડ મહેનત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પણ આપના આ મનસૂબાને નાકામ કરવા બનતા તમામ પ્રયત્નો કરી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ઉપરાંત દિલ્હીના સીએમ  કેજરીવાલે સુરતમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ભંગ કર્યા બાદ દસથી બાર દિવસમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપવાના છે. બીટીપી સાથે ગઠબંધન કર્યા બાદ ભરૂચ જિલ્લામાં તેની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Mehsana : વડનગર ખાતે ગુજરાત સ્થાપના દિન અંતર્ગત “ગુજરાત ગૌરવ દિવસની” ઉજવણી

Next Article