Surat : રખડતા ઢોર મુદ્દે મનપા એક્શન મોડમાં, શહેરમાં ગેરકાયદે તબેલાઓનું ડિમોલિશન કરવા તૈયારી

|

Aug 29, 2022 | 9:56 AM

સુરત મહાનગરપાલિકાના (SMC) મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાંદેર ઝોનના અધિકારીઓને ટપાર્યા હતા અને આવી ઘટના ફરી ન બને તે માટે રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ સઘન બનાવવાની સૂચના આપી છે.

Surat : રખડતા ઢોર મુદ્દે મનપા એક્શન મોડમાં, શહેરમાં ગેરકાયદે તબેલાઓનું ડિમોલિશન કરવા તૈયારી
રખડતા ઢોર

Follow us on

રખડતાં ઢોરોને(Stray Cattles ) મુદ્દે રાજ્ય સરકારને હાઇકોર્ટની (High Court )ચીમકીને પગલે સરકાર(Government ) દ્વારા રાજ્યની તમામ મનપાઓ, અર્બન ઓથોરિટી વિસ્તારોને રખડતાં ઢોરને મુદ્દે મોટાપાયે ઝુંબેશ હાથ ધરી કામગીરી માટેની તાકીદ કરી છે. જેના ભાગરૂપે સુરત મનપા દ્વારા છેલ્લાં બે દિવસથી ગેરકાયદેસર તબેલાંઓ તોડી ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રજાના દિવસે પણ મનપા કમિશનરે તમામ ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેરોની બેઠકનું આયોજન કર્યુ હતું અને રખડતાં ઢોરોને મુદ્દે મોટાપાયે અને સતત ઝુંબેશ હાથ ધરવા માટેનો એક્શન પ્લાન નક્કી કર્યો હતો. મનપા કમિશનરે સરકારી અને અર્ધસરકારી જમીનો, જાહેર રોડો પર ગેરકાયદેસર તાણી દેવાયેલ તબેલાઓ તોડવા માટે સામૂહિક ઓપરેશન હાથ ધરવાની તાકીદ કરી છે.

આ અંગે પ્રાપ્ત વધુ માહિતી મુજબ, દરેક ઝોનમાં રખડતા ઢોર પકડવા અને ગેરકાયદેસર તબેલાઓનો સર્વે કરી એ તબેલાઓનું ડીમોલિશન કરવા માટે ઝોનની ઇજનેરી વિભાગની ટીમો ઉપરાંત ઝોન દીઠ બબ્બે ટીમો બનાવવામાં આવી છે. આ સ્પેશિયલ ટીમોમાં ઝોનના એસઆઇ, બેલદાર, માર્શલ સહિત ઢોરડબ્બાં પાર્ટીનો સ્ટાફ પણ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. દરેક ટીમને વાહનોની વ્યવસ્થા આપવામાં આવી છે તથા બે પાળીમાં આ ટીમો કાર્યરત રહી શકે તે માટે કુલ 18 ટીમોનું ગઠન કરાયું છે. સૌથી વિશેષ સરકારી-અર્ધસરકારી જગ્યાઓ પર દબાણ કરીને તાણી દેવાયેલ ગેરકાયદેસર તબેલાંઓ દૂર કરવા પર મનપાનો સૌપ્રથમ ફોકસ રહેશે.

નોંધનીય છે કે, ગતરોજ પાલ આરટીઓ પાસે ઢોરની અડફેટે આવેલ એક વાહનચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ રાંદેર ઝોનના અધિકારીઓને ટપાર્યા હતા અને આવી ઘટના ફરી ન બને તે માટે રખડતાં ઢોરને પકડવાની કામગીરી વધુ સઘન બનાવવાની સૂચના આપી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આગામી દિવસોમાં હવે આ કાર્યવાહી વધારે સઘન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન પણ જે પશુપાલકો પોતાના ઢોરોને રખડતા મૂકી દે છે, તેમની સામે પણ હવે લાલ આંખ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે.

Next Article