Surat: કોરોનાકાળમાં ફરી વધ્યું યોગાનું ચલણ, શારીરિક અને માનસિક શાંતિ માટે લોકો જોડાવા લાગ્યા યોગા ક્લાસીસમાં

|

Jan 10, 2022 | 12:40 PM

યોગા ક્લાસ જોઈન કરનાર લોકોનું કહેવું છે કે હાલના સમયમાં ઈમ્યુનીટી જાળવી રાખવું ખુબ જ જરૂરી છે. યોગામાં ઘણા એવા આસનો છે જે તમને શારીરિક રીતે મજબૂત બનાવે છે.

Surat: કોરોનાકાળમાં ફરી વધ્યું યોગાનું ચલણ, શારીરિક અને માનસિક શાંતિ માટે લોકો જોડાવા લાગ્યા યોગા ક્લાસીસમાં
File Image

Follow us on

છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. કોરોનાએ (Corona) હજી લોકોનો પીછો છોડ્યો નથી. આ વાયરસ પોતાના મ્યુટન્ટ બદલીને લોકોને સંક્રમિત કરી રહ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન હજારો લોકો કોરોનાનો શિકાર બન્યા હતા અને અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. આ સમયે લોકો પોતાના આરોગ્ય માટે વધુ જાગૃત થયેલા પણ જોવા મળ્યા હતા.

આપણે જાણીએ છીએ તેમ ભારતીય સંસ્કૃતિમાં યોગા (Yoga)નું મહત્વ પહેલાથી રહ્યું છે. યોગાના મહત્વ સમજીને વિશ્વ આખાએ તેને અપનાવ્યો છે અને એટલા માટે જ 21 જૂનના દિવસને વિશ્વ યોગા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. યોગ લોકોની ઈમ્યુનિટી વધારવા અને તંદુરસ્તી જાળવવા માટે ખુબ જ અગત્યનો ફાળો આપે છે.

ત્યારે હવે ફરી એકવાર લોકો કોરોના સંક્રમણથી બચવા માટે યોગા તરફ વળી રહ્યા છે. સુરતમાં પણ હવે યોગા ક્લાસીસ માટે લોકોની મેમ્બરશિપ વધી છે. જિમ કરતા પણ હવે લોકો યોગાના વિકલ્પને વધારે પસંદ કરી રહ્યા છે. યોગા ટ્રેનરનું કહેવું છે કે યોગા ફક્ત શારીરિક ફિટનેસ જ નથી આપતું પણ માનસિક શાંતિ પણ આપે છે. આ દરેક વર્ગના ઉંમરના લોકો માટે ફાયદાકારક રહે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી તરફ યોગા ક્લાસ જોઈન કરનાર લોકોનું કહેવું છે કે હાલના સમયમાં ઈમ્યુનિટી જાળવી રાખવું ખુબ જ જરૂરી છે. યોગામાં ઘણા એવા આસનો છે જે તમને શારીરિક રીતે મજબૂત બનાવે છે અને આંતરિક રીતે પણ તમને શક્તિ આપે છે. ફેફસાને મજબૂત બનાવવાની સાથે નેગેટિવિટી થી દૂર રહેવામાં પણ યોગા મદદ કરે છે અને એટલા માટે તેઓ યોગા ક્લાસ જોઈન કરવાનું પસંદ કરે છે.

પ્રાણાયામ, ધ્યાન, સૂર્યનમસ્કાર તેમજ અલગ અલગ આસનોથી આપણે ફક્ત કોરોના જ નહીં બીજા ઘણા રોગોથી દૂર રહી શકીએ છે. આ વર્ષે યોજાયેલા યોગા દિવસની થીમ પણ યોગા ફોર વેલનેસ હતી. પીએમ મોદીએ પણ સ્વીકાર્યું છે કે કોરોના સામેની લડાઈમાં યોગ આશાનું કિરણ સમાન છે. જેથી આજે યુવાઓમાં યોગાનું મહત્વ પણ અનેકગણું વધી ગયું છે.

આ પણ વાંચો : Surat: કોરોનાના વધતા કેસોથી શ્રમિક વર્ગમાં ફરી એક વાર ચિંતાનું મોજું, ધીમે ધીમે હિજરત શરૂ

આ પણ વાંચો : સુરત : રાંદેરમાં જાહેરમાં મારામારીના કેસમાં 6 ઇસમો ઝડપાયા

Next Article