Surat : પ્રિકોશન ડોઝ માટે 10 જાન્યુઆરીએ 44,435 લોકો રજીસ્ટર્ડ, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા

|

Jan 02, 2022 | 5:28 PM

તારીખ 10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી ઉપર કો મોરબીડ કન્ડિશન ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે.

Surat : પ્રિકોશન ડોઝ માટે 10 જાન્યુઆરીએ 44,435 લોકો રજીસ્ટર્ડ, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા
SMC Preparation For Precaution dose (File Image)

Follow us on

સુરતમાં(Surat)10 જાન્યુઆરી 2022થી 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ તથા હેલ્થ કર્મચારીઓ(Health Workers)સહિત કોરોના વોરિયર્સની(Corona Warriors)કેટેગરીમાં આવનાર લોકોને પ્રિકોશન ડોઝ ((Precaution dose)) આપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

જેમાં સુરત મનપા દ્વારા આ કેટેગરીમાં આવતાં લોકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે . બીજો ડોઝ લીધા બાદ 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવાં કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં લોકોને આ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે .

બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેમને અપાશે ડોઝ

બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવાં 44,435 લોકો 10 જાન્યુઆરીએ પ્રિકોશન ડોઝ લેવા માટે યોગ્યતા પ્રાપ્ત થશે . જેમાં રોજ વધારો – ઘટાડો થઇ શકે છે.નોંધનીય છે કે વેકસિન લીધા બાદ પણ લોકો હવે કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે, તેવામાં આવા લોકોને પણ સંક્રમણથી બચાવવા માટે બુસ્ટર ડોઝ મળે તે જરૂરી છે. જેથી હવે ફરી એકવાર વેકસીનની આ સાઇકલ બુસ્ટર ડોઝ માટે ફેરવવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અને હવે તારીખ 10 જાન્યુઆરીથી બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી ઉપર કો મોરબીડ કન્ડિશન ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે.

શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધી

કોરોનાના કેસોની સંખ્યામાં રોજબરોજ બમણી ગતિથી વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ વધારવામાં આવી છે. હાલ શહેરમાં 264 માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન છે જેમાં 6159 ઘરના 23,500 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે.

સુરતમાં સૌથી વધારે કેસો અઠવા અને રાંદેર ઝોનના નોંધાયા છે, ત્યારે અઠવા ઝોનમાં 149 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 3709 ઘરનો સમાવેશ, જ્યારે રાંદેર ઝોનમાં 56 માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં 1027 ઘરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : VADODARA : કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્રની વધુ એક બેદરકારી, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો :  Corona: ગુજરાતમાં આગામી 30 દિવસમાં સ્થિતિ વધુ ચિંતાજનક થશે, AHNAએ આપી ચેતવણી

Published On - 5:25 pm, Sun, 2 January 22

Next Article