Surat : ગણેશ વિસર્જન પહેલા SMC નહીં પણ પોલીસ કર્મીઓએ હટાવ્યા વીજ વાયર, સેફ્ટી વિના કામ કરતા અનેક સવાલ

|

Sep 26, 2023 | 12:07 PM

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 20 જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે.

Surat : ગણેશ વિસર્જન પહેલા SMC નહીં પણ પોલીસ કર્મીઓએ હટાવ્યા વીજ વાયર, સેફ્ટી વિના કામ કરતા અનેક સવાલ

Follow us on

Surat : ગણેશ વિસર્જનને (Ganesh Utsav) લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આજે મહિધરપુરા વિસ્તારમાં વિસર્જન યાત્રાના રોડ પર આવતા વીજ વાયરો (Electric wire) મનપાના કર્મચારીઓ નહીં પરંતુ પોલીસના કર્મચારીઓ હટાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો-Jamnagar : ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટએટેક,મિનિટોમાં જ મોત, જુઓ Video

કોઈ પણ જાતની સેફટી વિના પોલીસ કર્મીઓ વિસર્જન યાત્રામાં આવતા રૂટ પર વાયરો હટાવી રહ્યા હતા. જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે જે કામ મનપાના કર્મચારીઓનું છે તે કામ પોલીસ કર્મીઓ કરતા જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 20 જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે.

સુરત શહેરમાં નીકળતી વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પણ હવે શરૂ કરવામાં આવી છે. દરેક સરકારી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાની ફરજ મુજબની કામગીરીઓમાં જોડાઈ ગયા છે, પરંતુ આજે મહિધરપુરા વિસ્તારમાં કંઈક અલગ જ જોવા મળ્યું હતું. અહીં મનપાના અધિકારીઓના સ્થાને

સુરતના ભાગળ વિસ્તાર કે જ્યાંથી મોટી સંખ્યામાં વિસર્જન યાત્રા નીકળે છે ત્યાં આજે ઓવરટેક કેબલ હટાવવાનું કે જેનું કામ સુરત મહાનગરપાલિકાનું આવે છે તે કામ પોલીસના કર્મચારીઓ કરતાં જોવા મળ્યા હતા એક તરફ આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ કોઈપણ જાતની સેફટી વિના વાયરો ખેંચતા નજરે ચડ્યા હતા ત્યારે મોટો સવાલ એ થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બીજી વાત એ છે કે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું છે તે કામ હાલમાં સુરત પોલીસના જવાનો કરી રહ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article