સુરતમાં કાતરના 25 ઘા ઝીંકી પત્નીની હત્યા કરનારો પતિ 28 દિવસ બાદ ઝડપાયો

|

Dec 03, 2022 | 10:22 PM

Surat: સુરતમાં પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવી જઈ કાતર વડે 25 જેટલા ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પત્નીની હત્યા કર્યા બાદ અમદાવાદ, મુંબઈ, લખનઉ, બનારસ અયોધ્યા સહિતના સ્થળોએ નાસતો ફરતો હતો.

સુરતમાં કાતરના 25 ઘા ઝીંકી પત્નીની હત્યા કરનારો પતિ 28 દિવસ બાદ ઝડપાયો
પત્નીનો હત્યારો ઝડપાયો

Follow us on

સુરતના પૂણા વિસ્તારમાં પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પૂણા વિસ્તારમાં સીતારામ નગર સોસાયટીમાં વિભાગ-3માં રહેતા ચંદ્રશેખર સદાનંદ શર્માએ 5-11-2021ના રોજ પત્ની સંગીતાને કાતર વડે ગળા, છાતી તેમજ શરીર પર ઉપરાછાપરી 25 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. આ મામલે પૂણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી હત્યા કર્યા બાદ છેલ્લા 28 દિવસથી નાસતો ફરતો હતો.

હત્યા કર્યા બાદ 28 દિવસથી નાસતો ફરતો હતો આરોપી

પૂણા પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને પોલીસે ડી.આર. વર્લ્ડ પાસેથી ફુટપાથ પર બેઠો હતો તે દરમિયાન ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યુ હતુ કે ગત 5.10.2022ના રોજ તે કારખાનેથી કામ પુરુ કરીને ઘરે આવ્યો હતો અને સવારે ઘરે સૂતો હતો. સવારમાં તેની પત્ની ઘરનો દરવાજો બહારથી બંધ કરી કોઈની સાથે વાત કરતી હતી. આ બાબતે આરોપીએ પૂછપરછ કરતી પત્ની ઉગ્ર બની ગઈ હતી અને હું કોઈની પણ સાથે વાત કરુ તમારે શું તેમ કહ્યુ હતુ અને એ બાબતને લઈને ઝઘડો કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પતિ-પત્નીના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતા પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

સાંજના સમયે આરોપીની તબિયત સારી ન હોવાથી દવાખાને ગયો હતો અને દવા તેમજ સફરજન લઈને ઘરે આવ્યો હતો અને પત્નીને સફરજન કાપીને આપવાનુ કહ્યુ હતુ. ત્યારે પત્નીએ સફરજન તથા ચપ્પુ આરોપી પર ફેંકી જાતે કાપીને ખાઈ લો તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમા રોષે ભરાઈ આરોપી પતિએ કાતરના ઉપરાછાપરી 25 ઘા જીંકી પત્નીની હત્યા કરી નાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી હત્યા કર્યા બાદ સુરતથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી લખનઉ, અયોધ્યા અને બનારસ ભાગી ગયો હતો. અને આખરે પૈસા પુરા થઇ જતા તે પરત સુરત આવ્યો હતો અને સુરતમાં તે ડીઆર વર્લ્ડ પાસે ફૂટપાથ પર બેઠો હતો આ દરમ્યાન પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  હાલ પોલીસે આરોપીની મેડિકલ તપાસ કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે.

Next Article