Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત

|

Oct 19, 2021 | 2:51 PM

વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઔધોગિક એકમોં તથા મિલોના માલિકો દ્વારા સુડાના એફ.એસ.આઈ ના તથા કલેકટર અને જિલ્લા પંચાયતના એન.એ. વિભાગના નિયમોની ઉપરવટ જઈને બાંધકામ કરવામાં આવી રહ્યું છે.

Surat : સુરત જિલ્લા આવેલા ઔધોગિક એકમોમાં ફાયર સેફટી અને મજુર કાયદાનું પાલન ઝીરો, કલેક્ટરને રજુઆત

Follow us on

સુરત શહેર (City )તથા સુરત જિલ્લાના વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમો તથા મિલોમાં બાંધકામ ફાયરસેફટી(Fire Safety ) તથા મજુર કાયદાના પાલનનું તપાસ કરાવવા જિલ્લાના સ્થાનિક સહકારી આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે. આવેદન પત્રમાં તેમણે જણાવ્યું છે કે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાં અનેક ઔધોગિક એકમો તથા મિલોમાં વિવા પેકેજીંગ મિલ જેવી દુર્ઘટના ફરી બને નહીં તે માટે પગલાં ભરી સાવચેતી રાખવી જરૂરી છે.

કારણ કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ઔધોગિક એકમોં તથા મિલોના માલિકો દ્વારા સુડાના એફ.એસ.આઈ ના તથા કલેકટર અને જિલ્લા પંચાયતના એન.એ. વિભાગના નિયમોની ઉપરવટ જઈને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બાંધકામ પણ એવી રીતે કરવામાં આવે છે કે ઈમરજન્સીના સમયે ફાયર ફાઇટરને પણ દુર્ઘટનાનો ભોગ બનવું પડી શકે છે. અને તે જગ્યાએ જવામાં અગવડ પડી શકે છે.

અનેક ઔધોગિક એકમો તથા મિલોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ફાયર સેફટીના નિયમો માત્ર કાગળ પર જ ચલાવવામાં આવી રહ્યા છે. અનેક ઔધોગિક એકમો અને મિલો તો એવી પણ છે જેમાં મજુર કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તથા બાળ મજૂરોને પણ મજૂરીએ રાખીને કામ કરાવવામાં આવી રહ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઔધોગિક એકમો તથા મિલો દ્વારા નીતિનિયમોનું ઉલ્લંઘન કરતા જણાય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેમજ સુરત જીલલ્સમાં વરેલી ગામ ખાતે આવેલ વિવા પેકેજીંગ મિલમાં આગ લાગવાની ઘટનામાં જે પણ કો કામદારોના મૃત્યુ થયા છે તેમના પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવી જોઈએ તેમજ વિવા મિલના સંચાલકો દ્વારા જો નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું નહિ હોય તો તેઓ સરકારી રિપોર્ટ સ્થળ તપાસમાં જો આ વાતની સાબિતી થાય તો તેમની સામે ફોજદારી રાહે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે સુરતના વરેલી વિસ્તારમાં વિવા પેકેજીંગ મિલમાં ગઇકાલે લાગેલી આગની દુર્ઘટનાએ ફાયર વિભાગને દોડતી કરી દીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નોંધાઈ ન હતી. પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખવાની પણ તાતી જરૂર છે.

આ પણ વાંચો : Surat : ખેડૂતો માટે પડ્યા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા હાલત કફોડી

આ પણ વાંચો : Surat: કડોદરા GIDCની મિલમાં લાગી ભીષણ આગ, એક કામદારનું મોત, જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા મજૂરો

Next Article