સુરત: કોરોનાને કાબૂમાં કરવાની મથામણ વચ્ચે હવે અન્ય રોગચાળો પણ વકરે નહીં તે માટે પાલિકા તંત્રએ કમર કસી

સુરત: બળદેવ સુથાર  સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે પણ શહેરમાં વરસેલા ધમાકેદાર વરસાદ બાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. પાલિકાનો આરોગ્ય વિભાગનો સ્ટાફ કોરોનાને નાથવા મથી રહ્યો છે ત્યાં અન્ય રોગચાળાએ માઝા મુકતા પાલિકા તંત્રની પરેશાનીમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની તપાસ માટે લાવવામાં આવેલા ધન્વંતરી રથમાં હવે […]

સુરત: કોરોનાને કાબૂમાં કરવાની મથામણ વચ્ચે હવે અન્ય રોગચાળો પણ વકરે નહીં તે માટે પાલિકા તંત્રએ કમર કસી
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:12 PM

સુરત: બળદેવ સુથાર 

સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે પણ શહેરમાં વરસેલા ધમાકેદાર વરસાદ બાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. પાલિકાનો આરોગ્ય વિભાગનો સ્ટાફ કોરોનાને નાથવા મથી રહ્યો છે ત્યાં અન્ય રોગચાળાએ માઝા મુકતા પાલિકા તંત્રની પરેશાનીમાં વધારો થયો છે. ત્યારે કોરોનાની તપાસ માટે લાવવામાં આવેલા ધન્વંતરી રથમાં હવે કોરોનાની સાથે સાથે અન્ય રોગો જેમાં ખાસ કરીને ડેન્ગ્યુ અને મેલેરિયાનું ચેકીંગ પણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. સોસાયટીમાં ફરી ફરીને કોરોનાની જેમ સ્થળ પર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને સ્થળ પર જ નિદાન થાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:50 pm, Sat, 5 September 20