sabaratha : હિંમતનગરના મનોરપુર ગામની દુધમંડળીમાં ઉચાપતના મામલે અગાઉ જિલ્લા રજીસ્ટ્રારમાં રજુઆતો થયા બાદ સમગ્ર મામલો પંથકમાં ચર્ચાના એરણે ચડયો હતો. સહકારી મંડળીઓના ઓડીટરે ગુરૂવારે દુધ મંડળીના સેક્રેટરી, ચેરમેન, વાઇસ ચેરમેન અને કમિટીના 13 સભ્યો વિરૂધ્ધ રૂ.6 લાખથી વધુની કાયમી ઉચાપતના મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા હિંમતનગરના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. મંડળીના સેક્રેટરી અને અન્ય હોદ્દેદારોની મદદગારીથી લાખો રૂપિયાની ઉચાપતના મામલે ગાંભોઈ પોલીસે 16 હોદ્દેદારો વિરૂધ્ધ ગુનો દાખલ કરી સમગ્ર પ્રકરણની તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે આ કેસમાં નવું શું ખુલે છે તે રાહ જોવું રહ્યું.