ગુજરાતમાં Bird Flu નો ઘીરે ધીરે પગપેસારો થઇ રહ્યો થઇ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર માટે હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં મૃત મળી આવેલા 250 જેટલા પક્ષીઓના પૂણા ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જો કે તેમ છતાં આસપાસના વિસ્તારમા પોલ્ટ્રી ફાર્મમા તપાસ શરૂ કરવામા આવી છે. તેમજ સાવચેતી માટેના તમામ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. Bird Flu ને લઇને જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.