વડોદરાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તોએ સાયબર ક્રાઇમ કેટલાક શખ્સો સામે અરજી કરી છે. વડતાલમાં શાકોત્સવ દરમિયાન લાલજી મહારાજે પ્રવચન આપ્યું હતુ. આ પ્રવચનમાંથી એક ટુકડો એડિટ કરીને કેટલાક શખ્સોએ ક્લિપ વાયરલ કરી છે. આ વાયરલ ક્લિપમાં લાલજી મહારાજ બોલી રહ્યા છે કે, બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે તેથી સુપ્રીમ કોર્ટે જે ચાર લોકોને ફાંસીની સજા આપી છે તે ખોટી છે. હરિભક્તોએ ઓરિજનલ ક્લિપ પણ જાહેર કરી છે જેમાં સ્પષ્ટ થાય છે કે, આખી ક્લિપમાં લાલજી મહારાજનો કહેવાનો મતલબ જ અલગ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Published On - 12:10 pm, Mon, 13 January 20