રાજ્ય સરકારની એડવાન્સ બોનસની જાહેરાત કર્મચારી મંડળે આવકારી, કર્મચારીઓ સાથે બજારોને પણ રાહત આપનારી ગણાવી

|

Jan 19, 2021 | 11:18 AM

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા હવે રાજ્ય સરકારના એડવાન્સ ફેસ્ટીવલ બોનસના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 5 લાખ જેટલા કર્માચારીઓને દિવાળીના તહેવારો નિમિત્તે એડવાન્સ ફેસ્ટીવલ બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને કર્મચારીઓમાં પણ આનંદ વર્તાયો છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોને લઈને સરકારી કર્મચારીઓ માટે ખુશખબર જાહેર કરવામાં આવી હતી. હાલની […]

રાજ્ય સરકારની એડવાન્સ બોનસની જાહેરાત કર્મચારી મંડળે આવકારી, કર્મચારીઓ સાથે બજારોને પણ રાહત આપનારી ગણાવી

Follow us on

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા હવે રાજ્ય સરકારના એડવાન્સ ફેસ્ટીવલ બોનસના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 5 લાખ જેટલા કર્માચારીઓને દિવાળીના તહેવારો નિમિત્તે એડવાન્સ ફેસ્ટીવલ બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને કર્મચારીઓમાં પણ આનંદ વર્તાયો છે. રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોને લઈને સરકારી કર્મચારીઓ માટે ખુશખબર જાહેર કરવામાં આવી હતી. હાલની સ્થિતીમાં દિવાળીના માહોલને ધ્યાને રાખીને સરકાર દ્વારા કર્મચારીઓની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તેમના સરકારી કર્મચારીઓને આર્થિક રીતે લાભ આપવાને લઈને એડવાન્સ બોનસ આપવામાં આવ્યુ છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકારે જાહેર કરેલા બોનસ મુજબ રાજ્યના 5 લાખ કર્મચારીઓને આ એડવાન્સ બોનસ આપવામાં આવશે. સરકાર દ્વારા વગર વ્યાજનું એડવાન્સ બોનસ જાહેર કરવામાં આવ્યુ છે. સરકારી કર્મચારીને 10 હજાર રુપિયા એડવાન્સ ફેસ્ટીવલ બોનસ રુપે મળશે, જેને કર્મચારીએ 10 માસ સુધી પરત કરવાના રહેશે. આમ સરકારે કર્મચારીઓને દિવાળી ટાણે ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. જેને રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ દ્વારા આવકારવામાં આવ્યુ છે. મહામંડળના અધ્યક્ષ અને હિંમતનગર સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા આરએચ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે, સરકારે યોગ્ય સમયે તહેવારોમાં આ પ્રકારનું આવકારદાયક પગલુ ભર્યુ છે. જેને લઈને સરકારના નાના કર્મચારીઓને રાહત થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: દૂધસાગર ડેરી ઘીમાં ભેળસેળ કરવાનો કેસ, પૂર્વ વાઈસ ચેરમેન અને પૂર્વ MDની ડિફોલ્ટ જામીન અરજી રદ

 

સરકારના આ નિર્ણયને લઈને રાજ્યના બજારોને પણ એક રીતે કેટલેક અંશે ટેકો મળી રહેશે. કર્મચારીઓ પાસે રોકડ આવવાને લઈને બજારમાં વેપારીઓને ખરીદી છેલ્લા દિવસોમાં ખુલવાને લઈને રાહત થશે. નાના કર્મચારીઓ આર્થિક સ્થિતીને ધ્યાને રાખીને મર્યાદીત ખરીદીમાં સરકારના એડવાન્સ બોનસથી કર્મચારીઓ ઉત્સાહપુર્વક બજારમાં ખરીદી કરતા બજારોમાં પણ રાહત સર્જશે. આમ સરકારના આ પગલાથી કર્મચારીઓ અને વેપારીઓ બંનેને માટે રાહત સર્જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:51 pm, Thu, 12 November 20

Next Article