રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફારની શક્યતા, જાણો કોણ નવા સાત પ્રધાન કરી શકે છે શપથગ્રહણ

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફાર થવાની શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે. જેમાં નવા 7 પ્રધાન શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમનો શપથ સમારોહ રાજભવનમાં યોજાઈ શકે છે અને આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે હાલના પ્રધાન […]

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફારની શક્યતા, જાણો કોણ નવા સાત પ્રધાન કરી શકે છે શપથગ્રહણ
https://tv9gujarati.in/rajya-na-pradhan…ar-na-roj-sapath/
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:36 PM

રાજ્યના પ્રધાન મંડળમાં ટૂંકસમયમાં જ ફેરફાર થવાની શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 17 સપ્ટેમ્બરના રોજ નવનિયુક્ત પ્રધાનો શપથ ગ્રહણ કરી શકે છે. જેમાં નવા 7 પ્રધાન શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. તેમનો શપથ સમારોહ રાજભવનમાં યોજાઈ શકે છે અને આ દિવસે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ પણ છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે હાલના પ્રધાન મંડળની છેલ્લી કેબિનેટ બેઠક યોજાશે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે નવા સંગઠનની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. સૂત્રો પ્રમાણે, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, આર.સી. ફળદુ, કુમાર કાનાણી, વિભાવરી દવે, પરસોત્તમ સોલંકી, યોગેશ પટેલ અને રમણ પાટકરનું પત્તુ કપાઈ શકે છે. તો બીજી તરફ સાત નવા પ્રધાનો શપથગ્રહણ કરી શકે છે જેમાં શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પ્રદીપસિંહ જાડેજા, કૃષિ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે જીતુ વાઘાણી, શહેરી વિકાસ વિભાગના કેબિનેટ પ્રધાન તરીકે પૂર્ણેશ મોદી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ઋષિકેશ પટેલ, ગૃહવિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શશિકાન્ત પંડ્યા અને નિમા આચાર્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન બની શકે છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:42 am, Fri, 4 September 20