રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર કરાશે 55 ફૂટના રાવણના પૂતળાનું દહન, તૈયારીઓ આખરી તબક્કામાં

|

Oct 14, 2021 | 7:58 AM

આ વર્ષે આ પૂતળાના નિર્માણના ખર્ચમાં ગત વર્ષ કરતા 15થી 20 ટકાનો ભાવ વધારો થયો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શુક્રવારે સાંજે 7 કલાકે રાવણ દહનનોભવ્ય કાર્યક્રમ યોજાશે.

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર કરાશે 55 ફૂટના રાવણના પૂતળાનું દહન, તૈયારીઓ આખરી તબક્કામાં
Ravan Dahan will be held in Rajkot Race Course ground on Dussehra this year

Follow us on

રાજકોટના(Rajkot)રેસકોર્ષ ગ્રાઉન્ડમાં(Racecourse Ground)રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવશે. ઉત્તરપ્રદેશના આગ્રાના કારીગરો દ્વારા પૂતળા તૈયાર કરવાની કામગીરી આખરી તબક્કામાં છે. જો કે આ વર્ષે આ પૂતળાના નિર્માણના ખર્ચમાં ગત વર્ષ કરતા 15થી 20 ટકાનો ભાવ વધારો થયો છે. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શુક્રવારે સાંજે 7 કલાકે રાવણ દહનનો(Ravana Dahan)ભવ્ય કાર્યક્રમ યોજાશે.

ગુજરાતમાં દશેરાના પર્વે રાવણદહન કાર્યક્રમની શરતી મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે નવરાત્રીની જેમ 400 લોકોની મર્યાદામાં રાવણદહન કાર્યક્રમની તંત્ર દ્વારા મંજૂરી  આપવામાં આવશે .જોકે આયોજકોએ મંજૂરી લેવાની સાથે કોવિડ-19 ગાઇડલાઇનનું કડકપણે પાલન કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ છે કે દશેરાએ રાવણદહન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે ધાર્મિક પરંપરા ન તૂટે અને લોકોની શ્રદ્ધા જળવાઇ રહે તેવા હેતુસર ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આસૂરી વૃત્તિને હરાવી વિજયનો ઉજાસ પાથરવાનો દિવસ એટલે કે વિજયા દશમી. હિન્દુ ધર્મ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે.. દશેરાના દિવસને શસ્ત્રપૂજન અને વાહન ખરીદી માટે મહત્વનો માનવામાં આવે છે. સાથે જ આ દિવસે હવન-પૂજાના પણ આયોજનો કરવામાં આવે છે.આ પાવન પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની જયાફત માણવાનું ચૂકતા નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે ભરતીની યુવાનોને લાલચ આપે છે : કોંગ્રેસ

આ પણ વાંચો : Surat : ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી પહેલા બખ્ખા

Published On - 7:57 am, Thu, 14 October 21

Next Video