Rajkot : ઉજ્જૈન મહાકાલ, સોમનાથ મહાદેવ અને કષ્ટભંજનનાં શિર પર બિરાજે છે રાજકોટની પાઘડી
રાજકોટની આકર્ષક પાઘડીની દેશ-વિદેશમાં બોલબાલા છે. સોમનાથ મહાદેવ, ઉજ્જૈનના મહાકાલ અને સારંગપુરના કષ્ટભંજન ભગવાનના શિર પર રાજકોટની પાઘડી બિરાજે છે. ઉલ્લેખનીય છે કે,મંદિરોમાં થતા ભગવાનના શણગાર હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.
1 / 8
ઉજ્જૈનના મહાકાલ અને સારંગપુરના કષ્ટભંજન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં થતા ભગવાનના શણગાર હંમેશા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, ત્યારે આપને જાણીને નવાઇ લાગશે કે આ મંદિરોમાં ભગવાનના શિર પર બિરાજે છે રાજકોટની પાઘડી.
2 / 8
રાજકોટના અંકુર વાઢેર 10 ઇંચથી લઇને 90 ઇંચ સુધીની પાઘડીઓ તૈયાર કરે છે. અંકુરભાઇ તેમની આ સિધ્ધિનો શ્રેય તેની પત્નીને આપે છે. દેખાવમાં ખુબ જ આકર્ષક લાગતી આ પાઘડીની દેશ-વિદેશમાં બોલબોલા છે.
3 / 8
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને અન્ય જ્યોતિર્લીંગના શિર પર રાજકોટની પાઘડી બિરાજે છે
4 / 8
ઉજ્જૈનની લોકલ બજારમાં પણ રાજકોટની પાઘડીઓ વેચાય રહી છે, ઉપરાંત વિદેશોમાં પણ આ પાઘડીની બોલબાલા છે.
5 / 8
કષ્ટભંજન મંદિરનો શણગાર હંમેશા ભક્તો માટે આકર્ષક બને છે, ત્યારે આપને જણાવવું રહ્યું કે, કષ્ટભંજન ભગવાનના શણગારમાં રાજકોટની પાઘડીનો ઉપયોગ થાય છે.
6 / 8
રાજકોટમાં આકર્ષક પાઘડી તૈયાર કરનાર અંકુર વાઢેરનું કહેવું છે કે, ઉજ્જૈનમાં જ્યારે ભગવાન મહાકાલને પાઘડી પહેરાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રથમ પાઘડી રાજકોટથી મોકલવામાં આવી હતી.
7 / 8
પોતાના શોખને વ્યવસાય બનાવનાર અંકુરભાઇ દેશના પ્રખ્યાત મંદિરોમાં આ આકર્ષક પાઘડી મોકલે છે.
8 / 8
ઉજ્જૈનમાં ભગવાન મહાકાલને આ પાઘડી પહેરાવવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર મહિને ભગવાન મહાકાલ માટે 25 જેટલી પાઘડી રાજકોટથી ઉજ્જૈન મોકલાવવામાં આવે છે.
Published On - 12:10 pm, Mon, 5 July 21