Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)27 જુલાઇના રોજ રાજકોટ આવી રહ્યા છે.ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને આવતીકાલે તેઓ કરોડોના વિકાસકાર્યોની ભેટ તેઓ આપવા જઈ રહ્યા છે.આવતીકાલે તેઓ રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપવા જઈ રહ્યા છે.આ ઉપરાંત રાજકોટના કાલાવડ રોડ પર KKV ચોક ઓવરબ્રિજનું પણ તેઓ લોકાર્પણ કરશે અને સૌની યોજનાના ત્રીજા ફેઝના પ્રોજેક્ટનું પણ તેમના હસ્તે લોકાર્પણ થવાનું છે.
આવતીકાલે બપોરે પીએમ મોદી રાજકોટ આવી પહોંચશે અને તેમનું વિમાન હિરાસર ખાતે નવનિર્મિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું વિમાન લેન્ડ થશે.ત્યારે પીએમ મોદીનો રાજકોટ પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આ મુજબ છે.