Rajkot : ગાંધીગ્રામની બજરંગવાડી પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ , વ્યકિતની અટક કરવામાં આવી

|

Aug 29, 2021 | 7:59 PM

પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સમયચુકતાથી આ વ્ચક્તિને આત્મવિલોપન કરતા અટકાવ્યો છે. બેકારી અને ઘર કંકાસથી કંટાળી આ વ્યક્તિએ આત્મવિલોપનનો માર્ગ અપનાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટ(Rajkot)ના ગાંધીગ્રામ બજરંગવાડી પોલીસ ચોકી પર એક વ્યક્તિએ  દરવાજા પર પેટ્રોલ છાંટીને પોલીસ ચોંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.  સ્કૂટર  પર આવેલા વ્યક્તિએ પોલીસ સ્ટેશનના દરવાજા પર  પેટ્રોલ છાંટી  ચોકી સળગાવવાનો  પ્રયાસ કર્યો  હતો. જો કે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સમયચુકતાથી આ વ્ચક્તિને  તેમ  કરતા અટકાવ્યો છે. બેકારી અને ઘર કંકાસથી કંટાળી આ  કૃત્ય  કર્યું  હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ એક અજાણ્યો શખ્સ બપોરના સમયે રાજકોટ શહેરમાં બજરંગ વાળી પોલીસ ચોકી આગળ પહોંચ્યો હતો. તેમજ અચાનક જ ચોકીના દરવાજા પર પેટ્રોલ છાંટીને તેને આગ લગાડવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જો કે આ દ્રશ્ય જોતાં જ આસપાસના દુકાનદારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ આ આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેની બાદ પોલીસે આ શખ્સની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ કૃત્ય પાછળનો તેનો શું ઇરાદો છે તે પણ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જ્યારે પ્રાથમિક માહિતી મુજબ આ શખ્સ આર્થિક સંકડામણ અને ગુહ ક્લેશથી કંટાળી ગયો હોવાનું માલૂમ પડ્યું છે. તેમજ આ વ્યક્તિ આ કૃત્ય કર્યા બાદ ત્યાં જ ઉભો રહ્યો હતો અને ભાગવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.

આ  પણ વાંચો :SURAT : કેન્દ્રના 7 મેગા ટેક્સ્ટાઈલ પાર્કમાંથી એક સુરતને મળે તેવા પ્રયત્નો શરૂ,કમિશનરે જમીન માટે તપાસ કરાવી

આ  પણ વાંચો : Janmashtami 2021 : પંચામૃત આ 5 વસ્તુઓને મિક્ષ કરીને બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Published On - 6:41 pm, Sun, 29 August 21

Next Video