અત્યાર સુધીમાં 132 કરોડની ચુકવણી કરી દેવામાં પણ આવી છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે ખેડુતોને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને કૃષિ ઇનપુટ સહાય ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જીલ્લામાંથી 1 લાખ 77 હજાર જેટલા ખેડુતોએ સહાય માટે અરજીઓ કરી છે. જેમાંથી 1 લાખ 44 હજાર ખેડુતોને કૃષિ ઇનપુટ સહાય ચુકવી દેવામાં આવી હોવાનો દાવો રાજકોટ જીલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યો છે.
રાજકોટ જીલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, રાજકોટ જીલ્લાનાં 8 તાલુકાઓને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 8 તાલુકાઓમાંથી 1 લાખ 77 હજાર ખેડુતોએ સહાય ચુકવવા અરજી કરવામાં આવી હતી. જેમાંથી 1 લાખ 45 હજાર ખેડુતોને 132 કરોડની સહાય ચુકવી દેવામાં આવી છે. બાકી રહેલા 34 હજાર ખેડુતોને કૃષિ ઇનપુટ સહાય ચુકવવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આગામી બે થી ત્રણ દિવસમાં બાકીની રકમ ચૂકવવા કવાયત હાથ ધરવામાં આવશે.
આ કૃષિ ઈનપુટ સહાય માટે દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને ચૂકવાઈ રહી છે. ઈનપુટ સહાય માટે ગ્રામ પંચાયતમાં અરજી કરવાની સિસ્ટમ છે જેમાં પાકની વિગતો સાથે 7/12નો ઉતારો, ઓળખપત્ર સાથે બેંક ખાતાની વિગતો વગેરે તપાસીને જ સહાયની ચૂકવણી કરાશે.
[yop_poll id=1107]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]