
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે રવિ પાકને મોટું નુકસાન થયું છે. ક્યાંક મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે તો ક્યાંક ઘઉંની કવોલિટી નબળી પડી ગઇ છે. આવી પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં ઘઉં વેચવા આવેલા રાજકોટના ખારચીયા ગામના જયંતિભાઇ ગોરધનભાઇ ભુવા નામના ખેડૂતને ઘઉંના એક મણના 900 રૂપિયા ઉપજ્યાં છે.
આ ભાવ સામાન્ય ભાવ કરતા લગભગ બમણાં કહી શકાય. ગત 5 એપ્રિલના રોજ જયંતિભાઇએ પોતાની પાસે રહેલા 193.85 મણ જેટલા ઘઉં 900 રૂપિયા લેખે વેચતા ખર્ચ બાદ કરતા 1.70 લાખ રૂપિયાની ઉપજ થઇ હતી. જેના કારણે ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી.
આ અંગે વિગત આપતા એસ.વી.પટેલ એન્ડ કંપનીના માલિક અને ઘઉં ખરીદનાર વેપારી અમિતભાઇ પટેલે કહ્યું હતું કે જયંતિભાઇના ઘઉંની ક્લોલિટી ખૂબ જ પ્રિમિયર કક્ષાની હતી. તેના ઘઉંમાં ચમક હતી જેના કારણે તેને આટલો ભાવ ઉપજે છે. આ પ્રકારના ઘઉં બહારના રાજ્યોમાં એક્સપર્ટ કરી શકાય તે પ્રકારની ક્વોલિટી હતી.સાથે સાથે માવઠા સમયે પણ તેઓએ ઘઉંની માવજત કરી હતી અને ઘઉં અગાઉથી ખેતરમાંથી કાઢીને યોગ્ય રીતે સાચવણ કરી હતી જેના કારણે આટલો સારો ભાવ મળ્યો.
આ પણ વાંચો: માવઠાંના કારણે અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું, રાજ્ય સરકારે કરેલા સર્વે બાદ કૃષિમંત્રીએ આપી માહિતી
રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ઘઉંની હરરાજી થાય છે.રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કમાણીએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું હતું કે ઘઉંની જે હરરાજી થાય છે તેમાં ખેડૂતને મણે 450 થી 600 રૂપિયા ભાવ ઉપજે છે.આ વખતે માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા ઘટી ગઇ છે જેના કારણે એવરેજ 450 થી 500 રૂપિયા મણે ઉપજે છે પરંતુ જો સારી ગુણવત્તા હોય તો 600 રૂપિયા સુધી ભાવ મળી શકે છે.જે ખેડૂતને 900 રૂપિયા ભાવ મળ્યો છે તે ખુબ જ સારો ભાવ કહેવાય પરંતુ બજારનો ભાવ આ નથી કોઇ ખેડૂતને ક્યારેક આવા ભાવ મળે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:28 pm, Thu, 6 April 23