ગુજરાતમાં (Gujarat) રાજકોટના (Rajkot) ગોંડલમાં (Gondal) એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં અને બે લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત ભોજપરા અને બિલિયાળા નજીક સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકોટથી ગોંડલ જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
જો કે અકસ્માતની જાણ થતાં થતાં જ આસપાસના સ્થાનિકો લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર નીકાળયા હતા. તેમજ ફોન ફરીને 108 ને બોલાવવામાં આવી હતી. તેમજ આ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો કે આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના પોસ્ટ મોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારમાં શોક છવાયો છે. જયારે આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન રસીકરણને ઝડપી બનાવવા એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ
આ પણ વાંચો : અમદાવાદ : જુહાપુરાના કુખ્યાત બિલ્ડર નઝીર વોરાને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલાયો
Published On - 4:47 pm, Tue, 23 November 21