RAJKOT : ઓમિક્રોન વેરિએન્ટને પગલે રાજકોટ સિવિલ સજ્જ, ત્રીજી લહેરની તૈયારીઓ પણ પૂર્ણ

|

Nov 29, 2021 | 7:58 PM

Omicron : રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આરએસ ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ આ નવા વેરિએન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી તેમ છતા WHOની ચેતવણીને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરવામાં આવી છે.

RAJKOT : કોરોના વાયરસના નવા ઓમિક્રોન (omicron) વેરિએન્ટને પગલે વિશ્વભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે નવા વેરિએન્ટ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. સુપ્રિટેન્ડન્ટ આરએસ ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ આ નવા વેરિએન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી તેમ છતા WHOની ચેતવણીને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરવામાં આવી છે.. હાલ હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. કુલ 840 બેડ ઉપલબ્ધ તેમાં પણ 230 બેડ ઓક્સિજન સાથેના છે.ત્રીજી લહેર માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે જરૂર પડશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટેવિશ્વની ચિંતા વધારી છે.ત્યારે ઓમિક્રોનને લઇ ગુજરાત સરકાર સતર્ક બની છે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરી રહ્યાં છીએ. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પણ ઉદ્યોગ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતા પાંચ ગણી ઝડપથી ફેલાતા આ વેરિઅન્ટથી સંક્રમિત લોકો વિશ્વના લગભગ 15 દેશોમાં જોવા મળ્યા છે. તે કેટલી હદે ખતરનાક છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેણે રસી લગાવેલા ઘણા લોકોને ચેપ લાગ્યો છે. એટલે કે રસી પણ તેને રોકી શકતી નથી.

આ પણ વાંચો : GANDHINAGAR : લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત

આ પણ વાંચો : AHMEDABAD : રખડતા ઢોર અંગે AMCની હેલ્થ કમિટીનો નિર્ણય, મંદિર પાસે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

 

Next Video